________________
જે બીજભૂત ગણાય છે. ત્રણ પદ ચતુદશ પૂર્વના,
ઉપનેઈ વા-વિગઈ વા- ધુવેઈ વા” મહાતત્વનાં એ દાન સુશ્રુત જ્ઞાનનું દેનાર ત્રણ જગનાથ જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૫ એ ચૌદ પૂના રચે છે સૂત્ર સુંદર સાથે જે, તે શિષ્યગણને સ્થાપતા ગણધર પદે જગનાથ જે. ખે તે ખજાનો ગૂઢ માનવજાતના હિત કારણે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૬ જે ધર્મતીર્થકર ચતુર્વિધ સંઘ સંસ્થાપન કર, મહા તીર્થ સમ એ સંઘને સુર અસુર સહ વંદન કર, મે સર્વ પ્રાણભૂત સર્વશું કરુણ ધર, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૭ જેને નમે છે ઇંદ્ર વાસુદેવ ને બળભદ્ર સૌ, જેનાં ચરણને ચક્રવર્તી પૂજતા ભાવે બહુ જેણે અનુત્તર વિમાનવાસી દેવના સંશય હણ્યા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૮ જે છે પ્રકાશક સૌ પદાર્થો જડ તથા ચૈતન્યના, જે શુકલ લેયા તેમે ગુણસ્થાનકે પરમાતમા; જે અંત આયુષ્ય કર્મને કરતા પરમ ઉપકારથી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૯
કાગ્ર ભાગે પહોંચવાને યોગ્ય ક્ષેત્રી જે બને, ને સિદ્ધનાં સુખ અર્પતી અંતિમ તપસ્યા જે કરે, * ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય.