SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ હું નિષ્કંલક પ્રભા ! એવી પળ કયારે આવશે કે જ્યારે મારા રૂંવાડે રૂંવાડે આપના પ્રત્યે અન'તગુણી પ્રીતિ વિસ્તાર પામશે. મારા લોહીના પ્રત્યેક રજકણમાં આપનુ નિલ નામ લખાઈ જશે. પ્રત્યેક નસમાં આપના ગુણાની જ સ્ફુરણા થયા કરશે. હાડકાના ઉંડામાં ઉંડા ભાગમાં આપની નિર્મળ આજ્ઞાનું પાલન કરવાની અભિલાષા ઘર કરી રહેશે. દેહના તમામ રજકણે આપની આજ્ઞા પ્રમાણે જ પ્રવશે, મનના સર્વ વિચાર। આપની આજ્ઞાને અનુકુલ જ હશે. અને વાણીના સઘળાએ ઉદ્ગારા આપના શાસનના પ્રભાવના વિસ્તાર કરવામાં જ પ્રવૃત્તિ કરશે. અહા ! તે ઘડી, તે પળ, તે કલાક, તે ક્ષણને હું ધન્ય ગણીશ કે જે સમય આપની આજ્ઞાની આરાધનામાં પસાર થશે. હે શરણાગતવત્સલ પ્રભા ! એવા દિવસ કયારે આવશે કે જ્યારે આપના નામસ્મરણ સિવાય જગતની કાઈપણુ વસ્તુ મને ગમશે નહિં, આપની સ્તુતિ વિના અન્ય કાર્યાં મને પસંદ પડશે નહિ', આપના ભજન કીર્તન વિના અન્ય કાઇ પણ કાર્ય મને આહ્લાદ ઉત્પાદક ખનશે નહિ. અને આપની આજ્ઞાના પાલન વિના બીજુ કાઈ કાય ગમશે નહિ' હે દેવાધિદેવ ! મારા એવા દિવસ કયારે આવશે કે ખાતાં, પીતાં, બેસતાં, ઉઠતાં, સુતાં, જાગતાં, હાલતાં, ચાલતાં, લેતાં રૅતાં, નિદ્રામાં કે સ્વપ્નમાં કે સર્વ અવસ્થામાં આપની જ રટના ચાલુ રહેશે. હે નાથ ! હુ એવા સમય કયારે પ્રાપ્ત કરીશ કે જ્યારે આપના વિના મને આપુ' જગત
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy