________________
અંતરંગ દોષોને ટાળવા તથા ગુણોની પ્રાપ્તિ માટે પરમાત્મા પ્રતિ હાર્દિક પ્રાર્થના - - હે દયાળુ પ્ર મારી નીચેની અભિલાષાઓ આપના પ્રભાવથી સફળ થાઓ, એવી હું આપને પ્રાર્થના કરૂં છું. | હે મારા નાથ ! મારે એ દિવસ કયારે આવશે કે પૌગલિક ઈચ્છામાત્રને સર્વથા તજીને હું આપની પવિત્ર આજ્ઞાનું અખંડ પાલન કરીશ!
કયારે હું ક્ષણિક કામનાઓને અને અન્ય કીર્તિમાન-નામના-પ્રતિષ્ઠા આદિ પ્રલોભનેને સર્વીશ ત્યાગ કરી આપની નિર્નિદાન અનન્ય પ્રેમથી ભક્તિ કરીશ ! હે પ્રભો! જ્યારે હું સ્વાર્થ માત્રને ત્યાગ કરી આપના ગુણોનું ગાન કરીશ ! કયારે હું વાસના મુક્ત થઈ આપનું ધ્યાન ધરીશ? કયારે હું ઇદ્રિ રૂપી અને કાબુમાં રાખી આપનું સ્થિરતા પૂર્વક ચિંતવન કરીશ ! મનરૂપ મર્કટને વશમાં રાખી કયારે હું આપના સવરૂપમાં તન્મય થઈશ ! અને કર્મરૂપી અરિને પરાજય કરી કયારે હું આપના જે અજિત બનીશ ! દોષમાત્રને ત્યાગ કરી કયારે હું આપના જેવો નિર્દોષ થઈશ !