SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ' હા થાય છે અને અદ્ધિ વખતે ગણવામાં આવે તો તે દિન વિતાવે છે.” એ દષ્ટિએ નાનું કે મોટું કોઈપણ કાર્ય કરવું હોય ત્યારે પ્રથમ નવકારનું સ્મરણ કરીને પછી તે કાર્ય શરૂ કરવું જોઈએ. સાધુને આહાર વાપરવા પહેલાં પણ નવકાર ગણવાનું કહેવું છે. આ રીતે માણસ ઉઠે ત્યારથી માંડીને સૂઈ જાય ત્યાં સુધી વારંવાર નવકાર સમરણનું વિધાન છે. અને આ પ્રમાણે મનુષ્યના જીવનવ્યવહારની સાથે નવકારનું મરણ ઓતપ્રેત રહેલું છે. આવી રીતે જ્ઞાનીઓની આજ્ઞા મુજબની બીજી પણ જે જે પ્રણાલિકાઓ ચાલે છે, તે પણ એકાન્ત કલ્યાણ કરનારી હોય છે. શ્રી નમસ્કાર મહામંત્ર એ પંચ પરમેષ્ટિ ભગવતે પ્રત્યે આદર સૂચવનારી પવિત્ર ક્રિયા છે. એ ક્રિયાને વિષય પરમેષ્ઠિઓ છે. તેથી તેનું ફળ પણ મહાન છે. પંચ પરમેષ્ટિ ભગવંતે પ્રત્યે નમસ્કારને ભાવ એ કર્મરૂપી વનને બાળી નાખવા માટે દાવાનલ સમાન છે. તે અધ્યવસાય અચિત્ય શક્તિથી યુક્ત છે. શરત એટલી જ છે કે સાચા ભાવે તે નમસ્કાર થ જોઈએ. નમસ્કાર કરતી વખતે બાહ્ય ક્રિયાની સાથે મનથી પણ અત્યંત નમ્ર બનીને નમસ્કાર દ્રવ્યભાવ ઉભયદષ્ટિથી શુદ્ધ થવું જોઈએ. દ્રવ્ય નમસકાર એટલે હાથ જોડવા, માથું નમાવવું, પંચાંગ પ્રણિપાત કરે તે. અને ભાવ નમસ્કાર એટલે વિષય-કષાયથી વિરામ પામવું. આપણે નાના છીએ, અતિ લઘુ છીએ. પરમાત્મા મહાન છે. એમની
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy