SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ આ નમસ્કાર મહામંત્ર બધા શાસ્ત્રોમાં મહાશા ગણાય છે. ચૌદ પૂર્વને ઉદ્ધાર છે. ચૌદ પૂર્વધર મહર્ષિએ પણ જીવનના અંત સમયે શરીરશક્તિ ક્ષીણ થતાં બધા શાસ્ત્રોને સ્વાધ્યાય કરવા અસમર્થ બને છે, તે વખતે પણ આ મહામંત્રનું શરણ તેઓ છેડતા નથી. જીવનના અંતિમ શ્વાસ સુધી આ મહામંત્રનું રટણ ચાલુ રાખે છે. કારણ કે આ પ્રભાવક મહામંત્ર તેની આરાધનાના પ્રતાપે ભવાંતરમાં નિયમા ઉર્વગતિ અપાવે છે. શ્રી નવકાર એ શબ્દથી નાને હેવા છતાં અર્થથી અતિ મહાન છે. તેનું ફળ અનંત છે. તેથી પ્રત્યેક કાર્યની શરૂઆતમાં જ્ઞાનીઓ તેનું સ્મરણ કરવાનું વિધાન કરે છે. જેમકે ઉઠતાં નવકાર, બેસતાં નવકાર, સુતાં નવકાર, જાગતાં નવકાર, પ્રયાણ કરતાં નવકાર, પ્રવેશ કરતાં નવકાર, પચ્ચખાણ પારતાં નવકાર, ભજન કરતાં, જન્મ કે મરણ વખતે, દુખમાં કે સુખમાં, માંદગીમાં કે આરોગ્યમાં, વ્યાખ્યાનના પ્રારંભમાં કે વ્રતના ઉચ્ચારણમાં, નંદી સંભળાવવામાં, સૂત્ર ભણતાં, પખી સૂત્ર બેલતાં કે સામાયિક આદિ ઉચ્ચારતાં, અટવીમાં કે કોઈપણ સંકટ વખતે અથવા તે અનિવાર્ય સંજોગ આવી પડે તે અશુચિ વખતે પણ નવકારના સ્મરણને નિષેધ કર્યો નથી. કહ્યું છે કે બાલક-બાલિકાના જન્મ વખતે નવકાર ગણવામાં આવે તે જન્મ બાદ બહુ ઋહિને આપનારે થાય છે અને મૃત્યુ વખતે ગણવામાં આવે તે મરણ બાદ સુગતિને આપનારે થાય છે. આપત્તિ વખતે ગણવામાં આવે તે સેંકડો આપત્તિઓનું ઉલ્લંઘન
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy