________________
૪૬૮ તિર્થન્ ભાગ, અને ઉર્વ ભાગ એમ ત્રણ ભાગ છે નીચે ભાગ સાત રાજ પ્રમાણ છે. તિર્યમ્ ભાગ એક રાજ પ્રમાણ છે, અને ઉદર્વભાગ બ્રહ્મલોકે પાંચ રાજ પ્રમાણ છે, પતે એક રાજ પ્રમાણ છે. ઉંચાઈ ચૌદરાજ પ્રમાણ છે, આ સર્વ લેકમાં આત્માએ જન્મ, મરણ કર્યા છે, લકાકાશનો વાળના અગ્ર ભાગ જેટલું પણ એ પ્રદેશ નથી કે જ્યાં આ જીવે જન્મ-મરણ ન કર્યા હોય, તથા પરમાણુથી માંડીને અનંતાનંત સ્કંધ પર્યત દ્રવ્યોને અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતાં આ જીવે ઉપયોગ કર્યો છે. મન, વચન, કાયા, આહાર, ઉચ્છવાસ, નિશ્વાસ આરિરૂપે સર્વ દ્રવ્યને ઉપયોગ કરવા છતાં આ જીવ હજી તૃપ્ત થયો નથી એમ વારંવાર ચિંતવવું. એ પ્રમાણે ભાવના ભાવવાથી પૌગલિક સુખની આસક્તિ નાશ પામે છે અને મોક્ષ પ્રાપ્તિની તાલાવેલી જાગે છે.
અગ્યારમી બોધિદુર્લભ ભાવના, અનાદિ સંસારમાં, નરકાદિ ગતિઓમાં ભમતાં, વિવિધ દુખથી દુખી બનેલા, મિથ્યાદર્શન આદિથી મહિત મતિ વાલા, જ્ઞાન-દર્શનાવરણ અને અંતરાયના ઉદયથી પરાભવને પામેલા, આ આત્માને સમ્યગદર્શનથી વિશુદ્ધ બોધિ– શ્રી જિનેશ્વરદેએ પ્રણીત ધર્મની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે. કહ્યું છે કે– સૌથી પ્રથમ મનુષ્યજન્મ દુર્લભ છે પછી કર્મભૂમિમાં જન્મ મલે દુર્લભ છે. કર્મભૂમિ એટલે જ્યાં તીર્થકરો જન્મ લે છે, ઉપદેશ આપે છે, નિર્વાણ પામે છે