________________
શ્રી અરિહંતાદિ નવપદ અને
તેની સાધના. અરિહંત સિદ્ વંદો, આચારજ ઉવઝાય, મુનિ દરિસણ નાણુ, ચરણ તપ એ સમુદાય; એ નવપદ સમુદિત, સિદ્ધચક સુખદાય, એ દયાને ભવિનાં, ભવકટ દુખ જાય, ૧
શ્રી જૈનશાસનમાં શ્રી સિદ્ધચક-નવપદજીની આરાધના સુપ્રસિદ્ધ છે. મોટામાં મોટા શહેરથી માંડી નાનામાં નાના ગામડા સુધી જેન કુલમાં જન્મેલો ભાગ્યે જ એવો કેઈ આત્મા હશે, કે જે સિદ્ધચક-નવપદજીનું નામ ન જાણતે હેય. આ સિદ્ધચક્રની આરાધનામાં મુખ્ય આરાધન શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ-એ નવ પદેની છે. તેથી તે શ્રી નવપદજીના નામથી પણ એટલાં જ પ્રસિદ્ધ છે, કારણ કે– શ્રી સિદ્ધચક્રમાં સૌથી મુખ્ય અને પ્રથમ જે કોઈ માંડલું હોય તે આ શ્રી નવ પદ્યનું છે. શાશ્વતી ઓળીના દિવસમાં એ નવ પદોને અવલંબીને નવ દિવસ સુધી દરરોજ આયંબિલપૂર્વક એક એક પદની આરાધના કરવામાં