________________
આવે છે. શ્રી સિદ્ધચકમાં બીજું જે કાંઈ છે, તે પણ પ્રથમ માંડલાના વિસ્તારરૂપે છે. ધર્મનું તમામ સારભૂત સત્વ અને તવ શ્રી સિદ્ધચક્રમાં સંગ્રહીત થયેલું છે. એથી એની આરાધના દ્વારા સમગ્ર ધર્મની આરાધના સુલભ બની જાય છે.
દુર્લભ મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને જીવનમાં વિશદ્ધ ભાવે શ્રી સિદ્ધચક્રજીની આરાધના કરી લેવી એ વિવેકી આત્માએનું એક શ્રેષ્ઠ કર્તવ્ય છે. શ્રી સિદ્ધચક જીના આલંબન દ્વારા આત્મવિકાસના માર્ગમાં આત્મા દિન-પ્રતિદિન પોતાની પ્રગતિ કેવી રીતે અધિકાધિક સાધતો રહે છે, તે જાણવા માટે અહીં શ્રી સિદ્ધચક્રજીની વિશેષતા સંબંધી થેડી ઉપયોગી હકીકત જોઈએ.
દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મના ચાર પ્રકારોમાં ભાવ એ પ્રધાન સ્થાને છે. દાનાદિ બીજી ક્રિયાઓ પણ ભાવશુદ્ધિ હોય તે જ સફળ બને છે. આ ભાવ એ મનને વિષય છે અને પ્રાથમિક અવસ્થામાં મન અતિ ચંચળ હેય છે. તે આલંબન વિના કઈ રીતે સ્થિર રહી શકતું નથી.
જ્યાં સુધી જીવ ઉપર પ્રમાદનું જોર છે, ત્યાં સુધી તે પ્રમાદને હઠાવવા માટે સાલ બન અનુષ્ઠાનના આચરણ સિવાય બીજે કંઈ ઉપાય જ્ઞાની પુરુષેએ જે નથી. ધર્મકાર્યમાં ઉત્સાહ ન થવા દે, એ પ્રમાદનું સ્વરૂપ છે. તત્વથી આ પ્રમાદ જ આત્માને કટ્ટર શત્રુ છે. તે નામથી એક હોવા છતાં કાર્યથી અનેક પ્રકારે પરિણમી જીવને ધર્મમામાં પ્રગતિ કરવા દેતા નથી. બહુરૂપવાળા આ પ્રમાદના મ–