________________
૩૮૭
દ્રવ્યપૂજા અને ભાવપૂજા
(તે દિન કયારે આવશે–એ દેશી) શ્રી અરનાથની સેવાના, નવગામ ભંગ પ્રમાણ ચાર નિક્ષેપે અકરી, રત્નત્રયી ગુણ ખાણ, શ્રી. ૧ દિવ્યભાવ ભેદે કરી, કરતા આતમ હેત;
અદયવસાયની શુદ્ધતા, લહે શ્રદ્ધાન સમેત, શ્રી. ૨ કપૂર ચંદન કુસુમ કરી, પૂજે જિનવર અંગ; અક્ષત દીપ ને ધૂપણ. ફલ ઠવીએ ચંગ. શ્રી. ૩ ભાવપૂજા માંહી ભાવતે, ૨પાતીત સ્વભાવ; જ્ઞાનાન દે પૂરણે, પ્રગટય કર્મ અભાવ, શ્રી ૪
નય, ગમ, ભંગ અને પ્રમાણથી ચાર નિક્ષેપા (નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ) વડે અલંકૃત શ્રી અરનાથ જિનેશ્વરની સેવા રત્નત્રયી (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ના ગુણોની ખાણરૂપ છે. ૧
શ્રદ્ધા સહિત દ્રવ્ય અને ભાવથી બી જિનેશ્વરની પૂજા આત્માના હેતુથી કરવાથી જીવ અધ્યવસાયની શુદ્ધતા પામે છે. ૨
કપૂર, ચંદન અને પુષ્પથી શ્રી જિનેશ્વરના અંગને પૂજે. અક્ષત, ધૂપ, દીપ અને ઉત્તમ ફળ શ્રી જિનેશ્વરની આગળ સ્થાપન ક. ૩
શ્રી જિનેશ્વર પરમાત્માની ભાવપૂજા કરતી વખતે પરમાત્માના રૂપાતીત સ્વભાવની ભાવના ભાવે. જે સ્વભાવ