________________
ભાવપૂજાનું રહસ્ય.
(શાલિભદ્ર ભાગી રહ્યો–એ દેશી ) પૂજાવિધિ માં ભાવિયે, અંતરંગ જે ભાવ; તે સવિ તુઝ આગલ કહું, સાહેબ સરલ સ્વભાવ, સુહંકર ! અવધારે પ્રભુ પાસ! (એ આંકણી) ૧ દાતણ કરતાં ભાવિયેજી, પ્રભુ ગુણ જળ મુખ શુદ્ધ ઉલ ઉતારી પ્રમતતાજી, હે મુજ નિર્મલ બુદ્ધ, સુહ કર૦ ૨ પિતે તુષ્ટ થયા. શ્રી નવિજયજી પંડિતના ચરણથી સેવા કરનાર શ્રી યશોવિજયજી વાચક એમ કહે છે કે-તેથી કરોડે કલ્યાણ પામીએ. ૫
હે પાર્શ્વનાથ પ્રભુ! સાહેબ ! આપની પૂજા કરતાભાવપૂજા કરતાં અંતરંગ જે ભાવ ભાવીએ-વિચારણા કરીએ તે સર્વ આપની આગળ સરળ સ્વભાવે કહું છું. હે શુભને કરનારા શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! આપ મારી વિચારણાને ધ્યાનમાં લે. ૧
(હવે પ્રભુની પૂજા કરનારે શરીરની બાહ્યશુદ્ધિ કરતી વખતે જે ભાવના ભાવવાની છે તે બતાવે છે :-)
મુખશુદ્ધિ માટે દાતણ કરતાં એમ વિચારવું કે પ્રભુના ગુણરૂપી જળથી મુખને શુદ્ધ કરું છું, પ્રમાદપણારૂપ ઉલ ઉતારીને મારી બુદ્ધિ નિર્મળ થાઓ. ૨