________________
૩૭૭
મનમંદિરમાં પ્રભુજીની પધરામણીથી
પ્રગટેલો આનંદ. ( સમિતિ દ્વારા ગભારે પેસતાજી-એ દેશ ) દુ:ખ ટળિયાં મુખ દીઠે મુજ સુખ ઉપન્યાં રે,
ભેટ્યા ભેટ્યા વીર નિણંદ રે; હવે મુજ મંદિરમાં પ્રભુ આવી વસો રે,
પામું પામું પરમાનંદ રે, દુ:ખ૧ પીઠબંધ ઈહાં કીધે સમતિ વજૂને રે,
કાઢયે કાઠ કરે તે ભ્રાંતિ રે; અહીં અતિ ઉચા હે ચારિત્ર ચંદ્રઆ રે,
રૂડી રૂડી સંવર ભીતિ રે, દુઃખ૦ ૨
હે પ્રભુ! આપનું મુખ જોવાથી મારા દુઃખો દૂર થયા છે અને મને સુખ પ્રાપ્ત થયા છે. હે વીર જિનેન્દ્ર ! હું આપને ભે. હે પ્રભુ! હવે મારા મનરૂપી મંદિરમાં આવીને આપ રહે. જેથી હું પરમ આનંદ પામું. ૧
મેં મારા મન રૂપી મંદિરમાં સમકિતરૂપી વજની પીઠ બાંધી છે. મેં તેમાંથી બ્રાંતિરૂપી કચરાને દૂર કર્યો છે. તેમાં ચારિત્રરૂપી ચંદરવા ઘણું ઉંચા શોભે છે. તે મનમંદિરમાં સંવરરૂપી ભી તે ઘણું સારી છે. ૨