SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૭ મનમંદિરમાં પ્રભુજીની પધરામણીથી પ્રગટેલો આનંદ. ( સમિતિ દ્વારા ગભારે પેસતાજી-એ દેશ ) દુ:ખ ટળિયાં મુખ દીઠે મુજ સુખ ઉપન્યાં રે, ભેટ્યા ભેટ્યા વીર નિણંદ રે; હવે મુજ મંદિરમાં પ્રભુ આવી વસો રે, પામું પામું પરમાનંદ રે, દુ:ખ૧ પીઠબંધ ઈહાં કીધે સમતિ વજૂને રે, કાઢયે કાઠ કરે તે ભ્રાંતિ રે; અહીં અતિ ઉચા હે ચારિત્ર ચંદ્રઆ રે, રૂડી રૂડી સંવર ભીતિ રે, દુઃખ૦ ૨ હે પ્રભુ! આપનું મુખ જોવાથી મારા દુઃખો દૂર થયા છે અને મને સુખ પ્રાપ્ત થયા છે. હે વીર જિનેન્દ્ર ! હું આપને ભે. હે પ્રભુ! હવે મારા મનરૂપી મંદિરમાં આવીને આપ રહે. જેથી હું પરમ આનંદ પામું. ૧ મેં મારા મન રૂપી મંદિરમાં સમકિતરૂપી વજની પીઠ બાંધી છે. મેં તેમાંથી બ્રાંતિરૂપી કચરાને દૂર કર્યો છે. તેમાં ચારિત્રરૂપી ચંદરવા ઘણું ઉંચા શોભે છે. તે મનમંદિરમાં સંવરરૂપી ભી તે ઘણું સારી છે. ૨
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy