________________
३७५ અરજ સુણી મન આવીયા રે,
વીર જિણંદ ભયાલ રે; સુખ૦ ઓચ્છવ રંગ વધામણા રે,
પ્રગટ પ્રેમ વિશાલ રે, ગુણ૦ ૧૦ અપાઘ કરૂણા ક્ષમા રે,
સત્ય વચન તેલ રે, સુખર ધરશું તુમ સેવા ભણી રે ,
અંતરંગ રગોલ રે. ગુણ૦ ૧૧ હવે ભગતિરસ રીઝી રે,
મત છોડો મન-ગેહુ રે સુખ૦ નિરવહજો રૂડી પરે રે,
સાહિબ સુગુણ સનેહ રે. ગુણ૦ ૧૨
તેમાંથી કેમ બહાર જઈ શકશે? અર્થાત્ પછી તે આપ મારા મનમંદિરમાં કાયમ માટે રહેવાના. ૯
આ પ્રમાણે અરજી સાંભળી દયાળુ શ્રી વીર જિનેધર મારા મનમંદિરમાં પધાર્યા. ઉત્સવ અને આનંદ વધામણા થયા. પ્રભુજીને વધાવ્યા અને વિશાળ પ્રેમ તેમની સાથે પ્રગટ થયા. ૧૦
કરુણ-દયા અને ક્ષમારૂપ પૂજાની સામગ્રીથી તેમનું સ્વાગત કર્યું, સત્ય વચનરૂપી તબેલ આપ્યું. હે પ્રભુ! તમારી સેવા માટે આંતરિક આત્મિક આનંદને સમૂહ ધારણ કરશું. ૧૧
હે પ્રભુ! મારી ભકિતના રસથી આપ પ્રસન્ન થયા છે,