________________
મનમંદિર છે મારું રે.
પ્રભુ! તુજ વસવા લાગ રે; સુખ૦ માયા-કટક કાઢીયા રે,
કીધો કોધ-રજ ત્યાગ રે. ગુણ- ૪ પ્રગટી સુરુચિ-સુવાસના રે,
મૃગમદ મિશ્ર કપૂર રે, સુખ૦ ધૂપઘટી ઈહ મહમહે રે,
શાસન-શ્રદ્ધા પુર રે. ગુણ૦ ૫ કિરિયા શુદ્ધ બિછાવણા રે,
તકિઆ પંચ આચાર રે, સુખ૦ ચિહુ દિશ દીવા ઝગમગે રે,
જ્ઞાન રતન વિસ્તાર છે. ગુણ૦ ૬
હે પ્રભુ! મારું મનમંદિર (મનરૂપ મંદિર) તમારે રહેવા યોગ્ય કર્યું છે. તેમાંથી માયારૂપી કાંટાઓ કાઢી નાંખ્યા છે દૂર કર્યા છે, ક્રોધરૂપ રજ (ધૂળ)ને ફેંકી દીધી છે. વાળી-ચોળીને સાફ કરેલ છે. ૪ - સુરુચિ સમકિતદષ્ટિરૂપ સુવાસના પ્રગટી છે. સમકિતથી મારા મનમંદિરને સુવાસિત-સુગંધી કરેલ છે. આપના શાસનની શ્રદ્ધારૂપ કસ્તુરી અને કપૂરથી યુક્ત ધૂપઘટા અહીં મઘમઘી રહી છે.-સુગંધ ફેલાવી રહેલ છે. ૫
શુદ્ધ ક્રિયારૂપ બીછાના-આસન મારા મનમંદિરમાં પાથર્યા છે. પાંચ આચારરૂપી તકીયા ગોઠવ્યા છે. જ્ઞાનના વિસ્તારરૂપ રત્નમય દવાઓ ચારેય દિશામાં ઝગમગી રહ્યા છે. પ્રકાશી રહ્યા છે. ૬