________________
મનમંદિરમાં પ્રભુજીની પધરામણી માટે પ્રાર્થના.
( મેઈક વિધિ જોતાં થકાં રે-એ દેશી) શ્રી વર્ધમાન જિનરાજી રે,
રાજનગર શણગાર રે સુખ દરિઆ! વાલેસર સુણે વિનતી છે,
તું મુજ પ્રાણ આધાર રે. ગુણ ભરિઆ ! ૧ તુજ વિણ હું ન રહી શકું રે,
જિમ બાલક વિણ માત રે, સુખગાઈ દિન અતિવાહીએ, તારા ગુણ અવદા રે. ગુણ૦ ૨ હવે મુજ મંદિર આવીયે રે,
મ ક દેવ! વિલબ રે; સુખ૦ ભાણ ખડખડ કુણ ખમે રે,
- પૂર આશ્યા (અ) લંબ રે. ગુણ૦ ૩ શ્રી રાજનગરના શણગારરૂપ ! સુખના સમુદ્ર! હે વહાલા સ્વામી ! શ્રી વર્ધમાન જિનરાજ ! મારી વિનતી સાંભળે. હે ગુણથી ભરેલા પ્રભુ ! તમે મારા પ્રાણના આધાર છે. ૧
હે પ્રભુ! જેમ માતા વિના બાળક રહી શકતું નથી. તેમ હું તમારા વિના રહી શકતું નથી, તમારા નિર્મળ ગુણે ગાઈ ગાઈને દિવસે પસાર કરું છું. ૨
હે દેવ! હવે મારા મનમંદિરમાં આપ પધારો. વિલંબ ન કરો. ભોજન ન મળે અને વાસણ ખખડયા કરે એ દુઃખ કોણ ખમી શકે? માટે વગર વિલંબે મારી આશા આપ પૂર્ણ કરે. ૩