SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ મનમંદિરમાં પ્રભુજીની પધરામણી માટે પ્રાર્થના. ( મેઈક વિધિ જોતાં થકાં રે-એ દેશી) શ્રી વર્ધમાન જિનરાજી રે, રાજનગર શણગાર રે સુખ દરિઆ! વાલેસર સુણે વિનતી છે, તું મુજ પ્રાણ આધાર રે. ગુણ ભરિઆ ! ૧ તુજ વિણ હું ન રહી શકું રે, જિમ બાલક વિણ માત રે, સુખગાઈ દિન અતિવાહીએ, તારા ગુણ અવદા રે. ગુણ૦ ૨ હવે મુજ મંદિર આવીયે રે, મ ક દેવ! વિલબ રે; સુખ૦ ભાણ ખડખડ કુણ ખમે રે, - પૂર આશ્યા (અ) લંબ રે. ગુણ૦ ૩ શ્રી રાજનગરના શણગારરૂપ ! સુખના સમુદ્ર! હે વહાલા સ્વામી ! શ્રી વર્ધમાન જિનરાજ ! મારી વિનતી સાંભળે. હે ગુણથી ભરેલા પ્રભુ ! તમે મારા પ્રાણના આધાર છે. ૧ હે પ્રભુ! જેમ માતા વિના બાળક રહી શકતું નથી. તેમ હું તમારા વિના રહી શકતું નથી, તમારા નિર્મળ ગુણે ગાઈ ગાઈને દિવસે પસાર કરું છું. ૨ હે દેવ! હવે મારા મનમંદિરમાં આપ પધારો. વિલંબ ન કરો. ભોજન ન મળે અને વાસણ ખખડયા કરે એ દુઃખ કોણ ખમી શકે? માટે વગર વિલંબે મારી આશા આપ પૂર્ણ કરે. ૩
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy