________________
કરેક
મારી અભિલાષા. આ વંદના કરીને હું એ જ માગું છું કે હે પ્રભે ! મારા જીવને આપના સર બનાવે, મારી એક જ અભિલાષા છે કે હે ભગવન્ત ! આપની દયાથી મારા પરિણામ આપના જેવા સુંદર-મનહર. સ્વ-સ્વભાવપરિણત બને, કામ-ક્રોધાદિ વિભાવપરિણતિથી હું મૂકાઈ જાઉં, સર્વ સંગરહિત બની સમભાવમાં સ્થિર થાઉ, અપ્રમત્તભાવથી ગુણ શ્રેણી ઉપર આરૂઢ થઈ મારાં ઘાતી કર્મો વગેરેને ક્ષય કરું, આપના જેવું ઉજજવળ કેવલજ્ઞાન-કેવલદર્શન-ક્ષાયિક સમ્યફત્વ–આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવારૂપ ક્ષાયિક ચારિત્ર, અક્ષયઅનન્ત-અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરુ લઘુભાવ-અનન્તવીર્ય પામું, મને બીજી કઈ તૃષ્ણા નથી. કેવલજ્ઞાન વગેરે મારી સત્તામાં જ છે, ક્રોધ-માન-માયાલેમ-રાગ-દ્વેષ-મોહ-આશા-તૃષ્ણા-વર્ણ-ગંધ-રસ-સ્પર્શ– ભુખ-તરસ-ટાઢ-તડકો-વિષય-સુખ-ફલેશ-સંતાપ વગેરે કે દોષ મારી સત્તામાં નથી, તેનાથી હું મુક્ત થાઉં, મારું શુદ્ધ સ્વરૂપ હું પ્રગટ કરું, એ જ હું માગું છું.
આમાને અંતિમ હિતશિક્ષા, વળી હે જીવ! તું વિચાર કર-આ અવસર તને ફરીથી ક્યારે મળશે! ચેત-ચેત-સમાજ-સમજ. શું પ્રમાદ-આળસ કરી રહ્યો છે? જગતમાં તારું કે હિતકારી છે? જે ધર્મ સાધન કરશે તે તરશે, બાકી સહુ સ્વાર્થનું છે. તું તારા