________________
તેને ધ્યાનમાં લઈને પ્રભુની કેવલી અવસ્થા-તીર્થંકરપદવીની અવસ્થા ભાવવી.
રૂપાતીત અવસ્થા–સઘળા તીર્થંકર પર્યકાસન તથા કાર્યોત્સર્ગાસન, એ બે આસનેએ રહીને મોક્ષે ગયા છે, તેથી પ્રભુની મૂર્તિઓ પણ એ બે આસનવાળીજ હોય છે, તેને ધ્યાનમાં લઈને પ્રભુની સિદ્ધત્વ અવસ્થા એટલે રૂપાતીત અવસ્થા ભાવવી.
જ્યોતિ સ્વરૂપી તું જિન દીઠે, તારી મૂરતિનું નહિ મૂલ રે, લાગે મને પ્યારી રે. તારી આંખડીએ મન મોહ્યું રે, જાઉં બલિહારી રે. ત્રણ ભુવનનું તત્વ લહીને, નિર્મલ તુહી નિપાયે રે. જગ સઘળે નિરખીને જોતાં,
તાહરી હેડે નહિ આયે રે લાગે. ૧ ત્રિભુવન તિલક સમેવડ તાહરી, સુંદર સુરતિ દીસે રે; કે કોટી કંદર્પ સમરૂપનિહાળી, સુરનરનાં મન હસે રે. લા૨
જોતિ સ્વરૂપી તું જિન દીઠે,તેને ન ગમે બીજું કાંઈ રે, મેં જિહાં જઈએ ત્યાં પૂરણ સઘલે, દીસે તુંહી તુંહી રે. લાગે. ૩છે. તુજ મુખ જેવાને રઢ લાગી, તેહને ન ગમે ઘરને ધંધો રે, છે આળ પંપાળ સવિ અલગી મૂકી,
તુજશુ માંડ પ્રતિબંધ છે. લાગે છે કે ભવસાગરમાં ભમતાં ભમતાં, પ્રભુ પાસને પામ્ય આરો , આ ઉદયરતન કહે બાંહ ગહીને સેવક પાર ઉતારો ૨. લાગે. ૫ ||