SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ કરતા હોય તેવા દેવનો આકાર હોય છે, તે આકારોને ધ્યાનમાં લઈ જન્મ અવસ્થા ભાવવી. તથા સ્નાત્રાદિ-જળાભિષેક સમયે પણ જન્માવસ્થા ભાવવી, રાજયાવસ્થા–એ જ પરિકરમાં માલધારી-હાથમાં પુષ્પની માલા ધારણ કરેલા દે હોય છે, તેને ધ્યાનમાં લઈ રાજ્યાવસ્થા ભાવવી. પુષ્પમાલા તે રાજભૂષણ છે. ઉપલક્ષણથી બીજાં આભૂષણે પણ સમજવાં. પુષ્પપૂજા તથા અલંકાર પૂજા વખતે પણ રાજ્યઅવસ્થા લાવવાની છે. શ્રમણાવસ્થા–પ્રભુપ્રતિમાનું મસ્તક અને દાઢીમૂછને ભાગ કેશરહિત હોય છે, તેને ધ્યાનમાં લઈને શ્રમણાવસ્થા ભાવવી. પ્રભુ જ્યારે દીક્ષા લે છે ત્યારે પંચમુષ્ટિ લેચ કરે છે, ત્યારબાદ ભવપર્યત લોચ કરતી વખતે જેવા રહ્યા હોય તેવા જ અપેકેશાદિ અવસ્થિત રહે છે. પરંતુ વૃદ્ધિ પામતા નથી. એ અવસ્થિતપણું એ જ અહીં પ્રભુના શ્રમણપણાનું સૂચક છે. કેવલી અવસ્થા–એ જ પરિકર ઉપર કળશધારી દેવની બે બાજુએ કરેલા પત્રને આકાર હોય છે, તે અશોકવૃક્ષ. માલાધર દેવે વડે પુષ્પવૃષ્ટિ, વીણા અને વાંસળી વગાડતા દેવના આકાર વડે દિવ્યવનિ, મસ્તકના પાછળના ભાગમાં રહેલે તેજરાશિને સૂચવનાર કિરણવાળે કાંતિમાન આકાર તે ભામડલ, ત્રણ છત્રની ઉપર ભેરી વગાડતા દેને આકાર તે દંભિ, બે ચામર વીંજતા દેવને આકાર તે ચામર, તથા સિંહાસન અને છત્ર, એમ આઠ પ્રાતિહા અવશ્ય સાથે રહેવાવાળા હોય છે,
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy