________________
ઉપાદ્ઘાત
(લે. પ્રે. હીરાલાલ ૨. કાપડિયા એમ.એ.)
એ વાત સુવિદિત છે કે ભાષાની વિશિષ્ટતાને લઇને તેમજ વિષયાની વિવિધતાને લીધે જૈન આગમેા અજૈન વિદ્વાનેાને પણ આકર્ષણ અને અભ્યાસના વિષય બન્યા છે. જૈન આગમે એ સમગ્ર જૈન સાહિત્યનું આદ્ય, અનન્ય અને મૌલિક ઉગમસ્થાન હાવાથી એને એમાં અગ્રિમ સ્થાન અપાયુ છે એ સ્વાભાવિક છે. એ આનંદની વાત છે કે ભારતીય સાહિત્યમાં-વિશેષતઃ દાર્શનિક સાહિત્યમાં પણ એને મહત્ત્વનુ–ગણનાપાત્ર સ્થાન મળ્યુ છે. આ પ્રમાણેની કોટિના આ આગમે અણુએગદ્દાર (સુ. ૧૪૪)માં લેાકેાત્તર આગમ’તરીકે એળખાવાયા છે. વિશેષમાં આ જ સુત્તમાં આગમાના સૂત્રાગમ, અગમ અને સૂત્રાર્થાગમ (તદુભયાગમ) એમ ત્રણ પ્રકારેની સાથે સાથે આત્માગમ, અનતરાગમ અને પર પરાગમ એમ પણ એના ત્રણ પ્રકાર સૂચવાયા છે. અદૃષ્ટિકો પ્રત્યેક તીથંકરને આગમા આત્માગમ છે, એમના ગણધરેશને એ અનતરાગમ છે અને ગણધરાના શિષ્યાદિને એ પરપરાગમ છે. સૂત્ર-દૃષ્ટિએ વિચારીએ તે ગણધરાને એ આત્માગમ છે (કેમકે એ એમની રચના છે), એમના મુખ્ય શિષ્યેાને એ અનતરાગમ છે અને ઇતરને એ પર પરાગમ છે.
આ ‘હુંડા ’ અવસર્પિણીમાં આપણા આ ભરતક્ષેત્રમાં લગભગ ૨,૫૦૦ વર્ષ ઉપર શ્રમણ ભગવાન્ દીઘતપસ્વી મહાવીરસ્વામી થઈ ગયા. એમને આ ક્ષેત્રની અને આ અવસર્પિણીની અપેક્ષાએ અતિમ-ચાવીસમા તીર્થંકર તરીકે જેને