________________
૩૬ર ]
સ્થાનાંગસ
[ વ્યાખ્યાન જન્મથી માંડી મરણ સુધીની વાતને જ વિચારી રહ્યા છે જન્મે ત્યારથી માબાપ, માસ્તર, શેઠ, કુટુંબ કબીલો, પૈસે, શરીર–આ સિવાયના વિચાર આ જીવે મરણ સુધીમાં કયારે કર્યા ? ચાહે મનુષ્ય હે કે જાનવર , પેલી બાજુના વિચારો એના મગજ માં આવ્યા જ નથી. કહે કે તે મેટો કેદી. જગતના કેદીને કેદની બહાર દેખવાનું ન હોય, પણ તેને વિચારશ્રેણી તો હોય. કેદની બહાર તો વિચાર કરવાનું હોય છે. આ તે એ મેટા કેદી છે કે આને એની બહારને વિચાર કરવાને હેતો નથી. ભગવાનનું શાસન પામેલાઓ પણ આ વિચારતા નથી કે હું કયાંથી આવ્યો ને ક્યાં જવાને ? હું કયાંથી માલ લાવ્યો ને કયા બજારમાં વેચવાને તે પણ વિચાર કરતો નથી. બંદર ઉપર ઊતરેલો મુસાફર આગલા બંદરને વિચાર કરીને ઊતરે. આ સંસાર સમુદ્રમાં મનુષ્યબંદરે આવ્યો ને કયે બંદરે જવાને તે વિચાર કરતા નથી. જ્યાં જન્મ, જરા, મર અને ધર્મકાર્યની વાત આવે ત્યાં “કુરસદ નથી” આવા શબ્દો બોલીએ છીએ, ઝવેરી પાસે હીરો લઈ કોઈ આવ્યો તો દોઢીઆ મારી પાસે નથી એમ કદાચ કહે, તે ચૂકે છે. તેમ આપણે ધર્મના કાર્યોને ફરસદની ચીજ છે તેવી છાપ મારી. ફુરસદ લેવાની નહિ પણ ફુરસદ હેય તે કરવાની. આ ધમ ચીજ બીનજરૂરી એટલે કુરસદ હેય તે કરવાની, ધર્મની કિંમત કેટલી ગણીએ છીએ તે હૈયામાં હતું તે હેઠે આવ્યું. વેવાઇને ત્યાં કોઈ માં હોય કે ઘેર પુત્ર માંદો હોય તો ફુરસદ નથી તેમ બેલાય છે? ત્યાં પુરસદ મેળવાઈ. દુનિયાદારીનાં કાર્યો પુરસદ મેળવવાનું સ્થાન, આ તો ફુરસદ મળ્યાનું સ્થાન. એક સદમાં કેટલે અનર્થ થયો તે ધ્યાનમાં લે. અથત પૂર્વભવ સંબંધી, ભવિષ્યના ભવ સંબંધી વિચાર કરે તે બધા પુરસદિયાં કામ છે, જરૂરિયાતો નહિ, પણ હજુ ફુરસદિયાંય કોને થયા ? જેની દૃષ્ટિ એ તરફ ગઈ છે પણ સંજ્ઞા નથી એને. તેથી એ બાબતનો વિચાર કર્યો નથી. એક મનુષ્ય અહીં એક જગાએ વારંવાર અથડાયો તે અખનું કામ ન કર્યું તે અધ ગણાય.