SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ બાવનમું ] સ્થાનાંગસૂત્ર [ ૨૯૩ બુદ્ધિ એ ગાંઠે. રાયણની ગાંઠ કપાય છે. આ તે વિચિત્ર ગાંઠ કે તીર્થકર નામકર્મના લાયકના પરિણામે પણ કપાય નહિ. ખધકછ અને મલ્લિનાથજી જે આત્માને સમ્યગ્દર્શનાદિ મળ્યા હોય તેમની ઇચ્છા “આખું જગત મારા કરતાં અધિક કેમ પામે” એ બુદ્ધિ રહેવી જોઈએ. એ બુદ્ધિ ન રહી તે ગયે. ગણધરોએ પ્રતિબોધ પામી પ્રત્રજ્યા લીધી તેની સાથે જ આ વિચાર શરૂ થઈ ગયો કે “જગતના તમામ જી કલ્યાણ કેમ પામે ”? ગૌતમસ્વામીને ઉદ્યમ “બીજા આત્માઓ કેવળજ્ઞાન કેમ પામે” તે માટે ચાલુ રહ્યો. પોતે પામ્યા નથી પણ તાપસને પ્રતિબંધ કર્યો. ગૌતમસ્વામીને ખાત્રી છે કે “હું મેળવ્યા વિના મરીને જવાને નથી, હજુ કેમ મળતું નથી” આવી જિજ્ઞાસા રહે છે. પારણાને દિવસે તાપસને જમવા તેડયા છે. રાઈ થાય છે, બધું જાણે છે પણ અધીરાઈ થઈ ગઈ છે કેમ નથી આવ્યું ? ગૌતમસ્વામીને કેવળજ્ઞાન તે ભવમાં થવાનું છે. મહાવીરે છાપ મારી છે “તને કેવળજ્ઞાન ચકકસ થવાનું છે. આપણે બંને અંતે ફરક વિનાના થવાના છીએ, તને કેવળજ્ઞાન હમણાં ન ઉપજે તેવી છાપ મરાઈ. છતાં બીજાને મળે તે કલ્યાણ એમ પોતે માનતા. ખંધકમુનિએ ત્રીજી વખત પૂછ્યું ત્યારે કહ્યું “ત્યાં જવામાં ઉપદ્રવ છે.' આ જિંદગીમાં ઉપદ્રનું આવવાનું તો ચાલ્યા કરે. સાધ્યને અંગે પૂછી લઉં, મુનિસુવ્રતસ્વામીજી ઉપદ્રવ કહે છે તેની અસર થતી નથી. પ્રશ્ન કરે છે – આરાધક કે વિરાધક તે કહે ! ઉપદ્રવ શી ચીજ તે હિસાબમાં નથી. નહિ તો કેવલી ઉપદ્રવ કહે તે વખતે ખંધકમુનિ સ્તબ્ધ થઈ જાય, પણ ઉપદ્રવની અસર નહિ. ખરો પિઈન્ટ (point) આરાધક થઈશ કે વિરાધક થઈશ ત્યાં હતાં, ત્યારે મુનિસુવ્રતસ્વામી કહે છે “તારા સિવાયના બધા આરાધક, તું વિરાધક.” કઈ બાકી રહ્યું? ખંધકજ વિચારે છે કે હું વિરાધક રહીશ, પણ ચારસે નવાણું આરાધક થવાના છે, માટે કરું. તેઓ તે કલ્યાણ કરી જશે.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy