SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન સ્થાને ઊભા, ત્યાં કેઈએ અગ્નિ સળગાવ્ય, અગ્નિ સળગાવનારને શું થયું? અમિ સળગાવનાર નરકે જશેને ? જિનપૂજા આરબપરિગ્રહના દરને ઉપકારી હવે મૂળ વાત પર આવો. પિતાને અંગે તે મરેલી ગાયનું કે ગાભણ ગાયનું દૂધ માનવાનું છે. નહિ તો શાના દીક્ષા દેવા પહેલાં કે મર્યા પછી ઓચ્છવ કરે છે? જે સાધુ કાઉસગ્નમાં રહ્યા. કેઈએ અગ્નિ સળગાવ્યો તેને નરકે જવાનું કહે છે? સાધુ મૂછમાં છે તે વખતે તેમના ઉપર કોઈએ કાચું પાણી રેડી દીધું સાધુ પ્રાયશ્ચિત લેશે, પણ રેડનાર નરકે જશે? નહિ. હિંસાના નામે લોકોને ભરમાવવા માટે કહેવામાં આવે છે કે તમારા સાધુ તમને પૂજા કરવાનું કહે છે તે તે પિતે કેમ પૂજા કરતા નથી? ગાંડે હોય તે તેમના કહ્યા મુજબ કરે. કહેવાવાળાની અક્કલ વખાણવા જેવી છે. દવા લેવા જનારાએ દાક્તરને પહેલા દવા પાવી. દાકતર પિતે દવા ન પીએ તે આપણે શા માટે પીવી? દાકતર દવા ન લે તે દવા આપણે પીવી નહિ? દાકતરને દરદ ન હોય તે તે શાને દવા પીએ ? આપણને તો દરદ છે. આરંભ પરિગ્રહના દરદવાળાને દવા પીવાની છે. ગુરુ મહારાજ આરંભપરિગ્રહવાળા છે? આથી દાક્તર દવા પીએ તે હું દવા લ' એવું કહેવાવાળે મૂખ કે નહિ? નિરારંભવાળા, નિપરિગ્રહવાળાને તમે કરો તો અમે કરીએ એમ કહેનારો દાકતરને કહેશે કે પહેલા તમે દવા પીઓ પછી અમે પીઈએ. ભગવાનના અંગે હિંસા પિતાના મડદામાં કાંઇ નહિ ચોમાસાને વખત છે. કેટલાક સાધુ અહીં છે કેટલાક સામે રહ્યા છે. શ્રાવકા વ્યાખ્યાન સાંભળવા આવ્યા. વ્યાખ્યાન થયું. લાભ થયો કે નહિ? લાભ થયો. લાભ થયો તે સાધુ કેમ નહિ આવ્યા? પોતે ન આવ્યા તે લાભ શું જોઈને બતાવે છે ? પિતાને અંગે લાભ નહિ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy