________________
૧૮૬) સ્થાનાંગસૂર
[ વ્યાખ્યાન કેટલી રીતે મારવાનું થાય? કૃષ્ણને એટલાથી સંતોષ થતો નથી. કૃષ્ણ ઢેડાને બોલાવે છે. એના પગે દોરડી બાંધે, દ્વારકાના બજારોમાં ઘસડા, અગળ કહેતા જુઓ, કે આ ફલાણે મનુષ્ય પાપ કરનારા ઘસડતા જાઓ, ત્યાં પાછળ પાણી છટતા જાઓ કે મારી નગરી અપવિત્ર ન રહે. જે ધમની કિંમત ન સમજે, સ્વાર્થ સમજે. આખી દ્વારકામાં જાહેર કરવું–આવાનું મેટું જેવું નહિ'. ભય થવાથી છાતી ફાટી જાય છે. અરે ! ઝેર, શો, અજીરણ, આઘાત વગેરેથી મરવું થાય છે.
આયુષ્યને ઉપક્રમ કરનારે હિંસા કરનારો
સાત પ્રકારે આયુષ્ય જલદી ભેગવાઈ જાય-તૂટી જાય. ઘરયાળને આઠ દિવસની ચાવી છે. નિયમસર ચાલે તે આઠ દિવસ ચાલે. ક્રૂ ઢીલે કર્યો તે આઠ દિવસની ચાવી સેકંડમાં ઊતરી જાય. જે ચાવી ક્રમસર તરવાની હતી તે એકદમ ઊતરી ગઈ. જે આયુષ્ય ક્રમસર ભોગવવાનું હતું તે એકદમ ભોગવાઈ ગયું. આયુષ્ય હેય તેટલું ભોગવાય એ ચોક્કસ, પણ કેટલા કાળનું તે ચોક્કસ નહિ. ઘડિયાળની ચાવી અઠવાડિયાની ચોકકસ પણ ક્રૂ ઢીલ થાય છે તે સેકંડમાં ઊતરી જાય. ત્રણ પલ્યોપમનું આયુષ્ય હેય, તે આયુષ્ય પણ અંતમુહૂર્તમાં ભગવાઈ જાય. આથી આયુષ્યને ઉપક્રમ થાય છે, તેથી તે ઉપક્રમ કરનારો હિંસા કરનાર જ છે. કાય ન થાય પણ તેના વિચારો કરવામાં પણ પાપ
શંકા-હિંસા કેને અંગે ? આયુષ્યના ઉપક્રમને લીધે. આયુષ્યના ઉપક્રમને આગે હિંસા. જેને આયુષ્યને ઉપક્રમ ન થાય તેને તો હિંસા નહિ ને? અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિય ચ, મનુષ્યો, ઉત્તમ પુરુષ એ બધા અનાવર્તનીય આયુષ્યવાળા છે. આઉખાનો ઘટાડે થઈ શકતો નથી. જે ચરમશરીરી હોય તે તેટલું આયુષ્ય ભોગવે, ને પછી મેક્ષે જાય તો તેને મારવામાં હિંસા નથી ને? કારણ કે આયુષ્ય ઘટાડયું નથી. આયુષ્ય ઘટે નહિ. આથી ઉપદ્રવ કરનારે