SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીસમું ] સ્થાનમસત્ર [ ૧૮૫ કાઉસગ્નમાં કેવા ધ્યાનમાં લેવા જોઈએ કે માથે અંગારા મેલાય છતાં માથું હલાવતા નથી. કેટલી આત્માની સ્થિરતા? અંગારા ભર્યા તેમાં માથું ચલાયમાન ન થાય. મોક્ષની ઈચ્છા ધારણ કરનારાઓએ આ નિમમત્વ ભાવ યાદ રાખવાને. આ શરીરથી હું જુદો છું. આ પ્રસંગ આવે ત્યારે સ્થિર રહે તે બોલવાવાળા બધા છે, પણ પ્રસંગ આવ્યે પાધરા ચાલનારા મુશ્કેલ. ગજસુકુમાલની સ્થિર પરિણતિ રહી, માથે અંગારા ભર્યા, ગજસુકુમાલજી મેક્ષે ગયા. સેમિલને ફળ મળી ગયું સે મિલ શહેરમાં આવે છે. વાસુદેવને જવા આવવાને વખત. વાસુદેવે દેખે તે બાર વાગ્યા. ધર્મને અગે વાસુદેવે ભોગ આપ્યો છે, પણ એના ઉપર થયેલા ઉપદ્રવને સખી શકશે નહિ, ગજસુકુમાલઇએ દીક્ષા લીધી, કૃષ્ણ વિરોધમાં ઊભા રહે તેવા નથી. એના વિરોધનું લગીર કાર્ય સાખી શકશે નહિ તેથી સૌમિલ બીજે રસ્તે આવે છે. કૃષ્ણ પૂછે છે. તેમનાથજી ફરમાવે છે–ગજસુકુમાલજીએ કાર્ય સાધી લીધું. કૃષ્ણ કહે છે કેણુ દુષ્ટ છે? જેણે મારા ભાઈની આ સ્થિતિ કરી. તેમનાથથી નામ અજાણ્યું નથી. કોઈ જીવને કર્મબંધનું કારણ દેખે ત્યાં હઠી જાય. નેમનાથજીએ નામ નહિ કહ્યું. તે અહીંથી જઈશ, તને દેખીને જેની છાતી ફાટી જશે તે તેને મારનાર મનુષ્ય. નામ ન આપ્યું. ગજસુકુમાલજીને કાળધર્મ સાંભળીને કૃષ્ણને આઘાત થે. જાહેર રરતેથી જવું માંડી વાળ્યું. પાછલે રસ જવાનું રાખ્યું. ખાનગી જવાનું રાખ્યું. આડંબર બંધ કર્યો. ખાનગી રસ્તે મહેલે જવાનું રાખ્યું. પેલે ખાનગી રસ્તે જાય છે. કૃષ્ણ જાય છે. પેલાને લાગ્યું કે મને આવતો જાણીને ખાનગી રસ્તે આવ્યા. વાસુદેવને મોટા રસ્તા સાંકડા પડે તો સાંકડે રસ્તે આવે શાના? હવે મારું શું થશે ? પ્રાણુ ગયે. ભયધારાએ પ્રાણ તૂટયા. સેમિલને તે ફળ મળી ગયું.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy