SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીસમું J. સ્થાનાગસૂપ [ ૧e, ક? ફરક રાત દહાડાને. તે કહે હાલે ચાલે તે જ છે. અહીં કહીએ છીએ હાલે ચાલે તે જીવ જ. “જ'કાર જોડવામાં ફરક પડયો. વાણિયે જ શાહુકાર. વાણિયે શાહુકાર જ. વાણિયે જ શાહુકાર કહે તે વખતે બીજી જ્ઞાતિવાળાને ગુસ્સે થાય. આપ આપ બીજાને દેવાળિયે ઠરાવ્યો. બીજાઓ આપોઆપ શાહુકારથી નીકળી ગયા. હાલચાલે તે જ જીવ. પૃથ્વીકાય વગેરે પાંચે સ્થાવરે હતા તે જ પણામાંથી નીકળી ગયા. “હાલે ચાલે તે જ જીવ' આ વચન મિથ્યાત્રીનું. વાણિ શાહુકાર જ હેય આમ કહેવામાં બીજી જાતિના બેઠેલાની આંખ લાલ ન થાય. હાલચાલે તે જીવ જ. આ કહી દે તો બીજાઓ હાલવાચાલવાવાળા ન હોય તેને જીવપણું કહેવામાં વધે નથી. હાલચાલે તે છવ વગરને ન હોય, જીવ જ હેય. આ વ્યાખ્યા નિશ્ચયવાળી નહિ, કથંચિતવાળી. હાલવાચાલવા માત્રને જીવ કહી દઈએ તો પરમાણુનું હાલવાનું થાય. ત્રસ જીવો મૂઠીભર જયારે સ્થાવર છે તે અનંતા અનંત. ૫ગલમાં ગતિ ક્રિયા છે. એક પરમાણુ સાતમી નરકના અંત ભાગમાંથી નીકળે ને એક સમયમાં સિદ્ધશિલાના ઉપરના ભાગમાં આવી શકે. જે ઇચ્છાપૂર્વક છાયડેથી તકે જવાની બુદ્ધિએ, ઈષ્ટ પ્રાપ્ત કરવાની બુદ્ધિએ, અનિષ્ટ નિવારણ કરવાની બુનિએ, જે કે હાલે તે જીવ જ હોય. એ ધર્મ કોઈ દિવસ અછવમાં ન મળે. આપણે મૂળ વાત તરીકે વિચારીએ તો હાલચાલે તેને જ જીવ કહેવાય. આ તો મૂઠીભર જીવનું લક્ષણ થયું, એ ત્રસ જેનું લક્ષણ થયું. સ્થાવર છો અનંતાનંત છે, ત્રસ જીવા મૂઠીભર છે. મૂઠીભર જેને જીવમાં રાખ્યા. બાકીનાની ગણતરી ન કરી, તે તેને અર્થ છે? સર્વ જેના જીવનની હિંસાની વિરતિ જે સ્થાવર અને ત્રસને જાણે તે જ કરી શકે. પૃથ્વીને જીવ માનનારે કેઈ બીજો વર્ગ નથી આચાર્ય સિદ્ધસેનદિવાકરે જણાવ્યું–સમકિત ચીજ શી ? દેવ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy