SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ] સ્થાનીયસત્ર I વ્યાખ્યાન જે જીવને હેય તે જીવને તેની સાથે તેને પશમ જરૂર થાય. દરેક પ્રતિબોધ પામ્યાની સાથે ગણધર નામક ઉદયવાળા હેય. તેથી દીક્ષાની સાથે ચૌદ પૂર્વે, બાર અંગે રચવાવાળા હેય. વગર પરીક્ષાએ વ્યકિત આદરવાની નથી પહેલાં વચન વિશ્વાસ. જ્યાં શ્રદ્ધાનુસારી હોય ત્યાં તે પુરુષની પ્રતીતિ થઈ ગયેલી હોય, તેથી પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ. હેમચંદ્રાચાર્ય વગેરેને માનનારા હોવાને લીધે તેમનાં વચનને વિશ્વાસ, પણ પુરુષની પ્રતીતિ ન હેય તે પુરુષની પ્રતીતિ ક્યા દ્વારાએ? અમે વ્યકિતને વગર પરીક્ષા માની લેવાવાળા નથી. જિનેશ્વરને પણ અઢાર દેવરહિત હોય તો માનવા તૈયાર છીએ. અષભદેવ નામ પડ્યું તેથી માનવા તૈયાર નથી. તેમના ગુણેને અંગે માનીએ છીએ અરિહંત ગુણવાળા છે. માને કે ક્ષણ પછી ગુણ વગરના થાય તે તેને આપણે માનવા તૈયાર નથી. આપણે વગર પરીક્ષાએ વ્યક્તિ આદરવાની નથી. ગુરુ સર્વ ગુણરહિત થાય તે તેને માનવા તૈયાર નથી. જમાલિ નિદ્ભવ ન થયે ત્યાં સુધી તેની ભક્તિ, સત્કાર થયાં, પણ એ જ જમાલિ ઊથલે ખાઈ ગયો તે વખતે ભક્તિ, સત્કાર નહિ. કારણ પુરુષને વિશ્વાસ પુરુષપણાને અંગે નથી. ગુણવાનપણાને અગે છે રાગ, દ્વેષ અને હિ ત્રણ જાડું બેલવાનાં કારણે અરિહંતને વિશ્વાસ શા ઉપર લઈએ છીએ? યથાસ્થિતવાદી છે માટે અરિહંતને માનીએ છીએ. બાવા ૦'મનુષ્ય ત્રણ કારણથી જૂઠું બોલે. ઈષ્ટ પદાર્થના રાગને લીધે, ઇષ્ટ પદાર્થને બાધા થતી હોય અને તેને બચાવવા માટે જૂઠું બોલે છે, પણ જેને કોઈ પદાર્થ ઉપર રાગ નથી તેને જૂઠું બોલવાનું કારણ નથી. સંપત્તિ, કુટુંબ, શરીરની મમતા છોડી તેને જૂઠું બોલવાનું કારણ નથી. રાગ, દ્વેષથી જૂઠું બોલવાનું થાય છે. દેવને સ્વભાવ એ છે કે પીઉં નહિ તે ઢાળી દઉં, બગાડવું, બીજાનું બગાડવું તે જ દેશને સ્વભાવ છે. ધ્યેય બગાડવાનું થયું. બગાડવાની દ્રષ્ટિમાં સાચું બોલીને નહિ તે જૂઠું
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy