________________
૧૩૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મૃષાવાદ નથી. વાકયમાં વિભક્તિ, વચન લગાયા વગર બોલીએ તે ખેરું. જ્ઞાનને વિપર્યાય હાય તો મૃષાવાદ. વિપર્યાય નથી તે મૃષાવાદ નથી. મૃષાવાદ વ્યવહાર ઉપર ધોરણ રાખે છે. મૃષાવાદ જ્ઞાનના વિકારને કરનાર છે, માટે મૃષ વાદ પાપ ગયું.
જેમ તેના ત્યાગને વ્રત ગણ્યું તેમ પાંચે મહાવતેમાં સમજવાની જરૂર છે. તે સમજાશે ત્યારે પાંચ મહાવ્રતો સમજાશે.
વ્યાખ્યાન : ૩૬ ભાવશૂન્ય કિયા ફળવાન ન નીવડે ગણધર મહારાજ શ્રીમાન સુધમસ્વિામીજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે દ્વાદશાંગીની રચના કરતા થકા ગણધર પદવીને પામ્યા તે વખતે પ્રથમ આચારાંગની સ્થાપના કરી. આપણે સામાન્ય રીતે સમજીએ છીએ કે ભાવશૂન્ય ક્રિયા દળવાન થતી નથી. જે ક્રિયાને ફળવાળી કરવી હોય તે ક્રિયા ભાવવાળી હોવી જોઇએ.
ભાવ એટલે શું? ભાવને અર્થ એશ્લે ઉલ્લાસમાં નથી લેતા. શરીરના અભિનયમાં ચેષ્ટામાં ભાવને અર્થ નથી લેતા. બીજા મતવાળાએ ઉલ્લાસ, અભિનય, ચેષ્ટામાં લે છે. શંકા–ભાવ ચીજ કઈ! સમાધાન-દાન, શીલ, તપ અને ભાવમાં જે ભાવધર્મ તરીકે વિવેચન આવ્યું છે. ભાવધર્મ કયી ચીજ છે? રત્નત્રયી–સમ્યગ્દર્શન વગેરે. એ જ સંસારસમુદ્રથી ઊતરવાને માટે જહાજ સમાન, દાવાનળને દૂર કરવા માટે પુષ્કરાવત’ મેઘ સમાન છે. એ ભાવના થાય અને જ્યારે આત્મા એને અથ થાય ત્યારે ભાવધર્મ.