SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫ છવીસમું ] સ્થાનાંગસૂત્ર પેઢીને અંગે મુખત્યારી, પિતાને અંગે નહિ મુનીમ પેઢી પર કુલ મુખત્યારી લઈને બેઠેલો હોય ત્યારે પેઢીને માટે લાખ રૂપિયાની આપલે કરી શકે. પિતાના ઘરને માટે બે આનાનું શાક ન લઈ શકે. જે દિવસે બે આનાનું શાક શેઠના નામે માંડે તે દિવસે મુનીમ ગુનેગાર. પિતાને અંગે નહિ, પેઢીને અંગે મુખત્યાર. જૈન શાસનની પેઢીમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, ચારિત્ર માટે બધું લેવાય પણ સંસારના કામમાં એને ઉપયોગ થાય તે કમલપ્રભ આચાર્યના જેવી સ્થિતિ થાય. કમલપ્રભ આયા તીર્થકર નામકર્મ કેવી રીતે બાંધ્યું? ચૈત્યવાસીઓ છે. બધામાં એક કે ત્યાગી નહિ. કેટલાક કહે છે કે કરીએ છીએ તે વ્યાજબી છે. કેટલાક કહે છે કે કરીએ છીએ પણ વ્યાજબી નથી. વ્યાજબી કહેવાવાળાને મુદ્દો-પ્રમાદી છીએ, તથાપ્રકારનું ચારિત્ર પાળી શકતા નથી. બીજાને મુદ્દો-સાધુપણાની લાઈનમાં ગ્ય નથી. પોલીસને પટે હાથમાં લીધે, ભલે પાંચ રૂપિયાની નેકરી, ભલે બારણું આગળ ઊભો રહીને પહેરો ભરનાર હોય પણ તેનાથી ચોરી ન થાય. આપણે સર્વવિરતિને પટે હાથમાં રાખીએ તે વખતે છ કાયના આરંભનું કામ ન થાય. આ બે મત પડયા. નિર્ણય કેમ થાય ? શાસ્ત્રને સમજી શકતિ હોય, બે પક્ષને સમજી શકતા હોય તે નિર્ણય આપી શકે. કલેકટરને તે તે જિલ્લાની ભાષા સમજવી પડે, નહિ તે તે લોકોનાં હિત અહિતને સમજી શકે નહિ. કમલપ્રભ આચાર્ય છે તેમને બોલાવ્યા. તે વખતે જતની અડી ગઈ છે. તેમને કહ્યું–આવી રીતે સાધુઓથી સાધુપણું ન પળે, સાધુપણું પાળવાને માટે તૈયાર થવું જોઈએ, પણ આ રસ્તે તે જવાય નહિ. જે નિર્ણય આપે તે બધાંએ કબૂલ કર્યો. ચોમાસાની નજીકનો વખત આવ્યો. બધઓએ ચમાસાની વિનંતિ કરી. બધાને માટે મંદિરો છે, તેમ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy