SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ તેવીસમું] સ્થાનાંગસૂત્ર આચારાંગની રચના (સ્થાપના ) કરવામાં આવી. કારણકે તીર્થનુ રહેવું, ટકવું' તે આચારને આધારે છે. સર્વ વિરતિના આચારે તીર્થની ઉત્પત્તિ, ટકવું, ચાલવુ છે. તેમ હેવાને લીધે નિગ્રંથ સિવાય તીર્થ જ નહુ એમ કહેવાય છે. અફળ દેશના ૩૦: પર્યુષણમાં સાંભળીએ છીએ-દશ આશ્ચર્યા. તેમાં અભાવિતા પદ નામનુ આશ્ચય કહીએ છીએ. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સમેસરણુ દેવતાએ રચ્યું. ભગવાને દેશના દીધી પણ કેઈને વિરતિ થઇ નહિં. દેશનાને નિષ્ફળ ગણી, જોકે કેટલાક સમ્યક્ત્વ પામ્યા. સમ્યક્ત્વ અને ચારિત્રના સબધ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું તેા ચારિત્રને આવ્યા વિના છૂટક નથી. સમ્યકૃત્વ આવ્યા પછી પતિત ન થાય તે સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ભગવાઇ જાય ત્યારે ચારિત્ર આવ્યે જ છૂટકે. સમ્યક્ત્વને પૂછડે ચારિત્ર બંધાયેલું છે, પણ ચારિત્રને પૂછડે સમ્યક્ત્વ અંધાયેલુ નથી. પહેલાં વિરતિ મળી ગઈ. સમ્યક્ત્વ વગરની તે વિરતિને દ્રવ્ય-ચારિત્ર-દ્રવ્યવિરતિ કહીએ છીએ પણુ તેની સાથે સમ્યક્ત્વ બધાયેલુ નથી. ચારિત્ર-આચાર એ અનતી વખત આવી જાય પણ સમ્યક્ત્વ અનતી વખત આવે નહિ. સમ્યક્ત્વ વધારેમાં વધારે વખત અસખ્યાત વખત આવે. એક માણસ જાસુસી કરવા આવે તે રાજ્યની સુખસમૃદ્ધિ બધું દેખે છે, અનુભવે છે પણ તેનું ધ્યેય એક જ કે ચઢતી રાજાની કરવી છે. સુખ, સુધારા, સમૃદ્ધિ બધું દેખે. અપરિમિત ગુષ્ણેા છતાં કયાં પેલ છે તે દેખવી છે. કિલ્લા આખા મજબૂત હાય, ખાંચા કયાં પડે તેવેા છે તે જુએ. રાજ્યમાં પાલ કાં
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy