SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૩ ગણધર મહારાજા સુધર્માસ્વામીજી ભવ્ય જીના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે દ્વાદશાંગીની રચના કરતાં આચારાંગમાં સાધુના આચાર વિષે અને સૂયગડાંગમાં સ્વસમયથી હચમચાવવાના પ્રસંગે આવે-પરસમયના હલા આવે, તે બધાની પ્રરૂપણ કરી છે. ભગવાન મહાવીરનું શાસન વક–જડની નિશાળ છે તેની અંદર ઉત્પાત, ઉન્માદ હેય તેમાં નવાઈ શી? તેવી જગ્યા પર વિચારને મજબૂત રાખવા તે મુશ્કેલ. સ્વ, પર સમયથી હલ્લા આવે તે વખતે મજબૂત રહે તે માટે સૂયગડાંગની રચના કરી. લશ્કર વફાદારીવાળું જોઈએ લશ્કર તાલીમ પામેલું કામ બજાવે, પણ લશ્કર બેવફા નીવડે તો? એના એ હથિયાર, દારૂગોળ બધું શું કરે ? ઘાણ કાઢી નાખે. કેઈ હથિયાર, દારૂગોળ વિના ટકી શકે નથી. વફાદારીથી સીધું કામ શું થાય? જેમ ભૂખ લાગી હોય તે વ્યાકરણ ખવાતું નથી. તેમ વફાદારીથી ઘા થાય છે? તાળામાં પુરાવે છે? વફાદારી, દેશને ટકાવ કરતી નથી. દેશને ટકાવનાર, છત મેળવાવનાર, હુ કરાવનાર હથિયાર છે. પણ તે વફાદારી છે ત્યાં ઉપગીનાં છે. વફાદારી ન હોય ત્યાં તે તે નિરૂપયેગી થાય; કામ પડે તે દુરૂપયેગી થાય. આચારની સંપૂર્ણ વ્યવસ્થા કરી પણ અંદર વિચારની વફાદારી ન હોય તે શું થાય? માર ખાય. દેશવિરતિ, સર્વવિરતિ એ દારૂગેળા. ચયે હથિયારનાં કારખાનાં. એ કાર્ય કયારે કરે? વફાદારી હોય તે. વફાદારી સીધી કાર્ય કરનારી દેખાય નહિ.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy