SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૩ જી–ઉદેશ ર જે. (૬૫) ------------------------ પછી જેમ વનને વિષે ઉત્પન્ન થયું એવું જે વૃક્ષ તે વેલડીએ તેણે કરી બધાય, એટલે વેલડીયે કરી વીંટાવ, તેમ જાતિ સ્વજનાદિક જે છે તે સાધુને અસમાધિએ કરી બાંધી લીયે સંયમ થકી ભ્રષ્ટ કરે ઇત્યર્થ, . ૧૦ || પછી તે જ્ઞાતિ ગોત્રીની સંગતે કરી વિવિધ પ્રકારે બંધાણે થકે પરવશ થયે, એટલે તેમના અનુલ વચને કરી મનને વિષે ઇતિ ઉપજી તેણે કરી બધાણે જેમ નવા ગ્રહણ કરેલા હસ્તિને જે, ઈક્ષખંડાદિકને આહાર કરાવિયે તે નવા બંધને કરી બંધાય અથવા મધુર વચને કરી ઉપચારિયે તે વારે તે બંધનન અંગીકાર કરે તેમ અહીં પણ એ દ્રષ્ટાંતે તે જ્ઞાતિ નેત્રિ જે પુત્રાદિક છે તે નવ પ્રસ્ત ગાયની પેરે, જેમ તે ગાય પોતાના બાળક થકી દૂર ન જાય, તેમ તે પુત્રાદિક તે સાધુને વ્યામોહમાં પાડવાને અર્થે પછવાડે લાગ્યાજ ફરતા રહે છે ૧૧ છે હવે સંગને દોષ કહે છે, એ પૂર્વોક્ત માતા પિતા પુત્રાદિકને જે સંગમ છે. તે મનુષ્યને પાતાળ, સમુદ્રની પેરે તરતાં દુસ્તર જાણ જે સંગમને વિષે મનુષ્ય (ક્લીબ) અસમર્થ છતાં કલેશ પામે છે. તે કેવા છતાં લેશપામે છે, તે કે જ્ઞાતિ સ્વજનને સંગે શ્રદ્ધા મૂછિત છતાં સંસારમાંહે ફ્લેશ પામે છે. તે ૧૨ | તે માટે જે સાધુ હોય તે જ્ઞાતી જનાદિકના સમાગમને શ પરિજ્ઞા કરી સંસારનું કારણ જાણીને પ્રત્યાખ્યાન ૫રિજ્ઞાએ પરિહરે કેમકે, એ સમસ્ત સમાગમ જે છે તે મહાશ્રવ મહેતા કામના સ્થાનકે જાણવા, તે કારણ માટે અનુકૂલ ઉપસી આવે થકે પણ, અસંયમે જીવિતવ્ય વાંછે નહીં, એટલે ગૃહસ્થાવાસની વાંછા સાધુ કરે નહીં; શું કરીને તો કે, અનુત્તર એટલે પ્રધાન એ શ્રીજિનધર્મ તેને સાંભળીને અસંયમ વાંછે
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy