SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પત્રકારત્વના આરાધનાને પર્યુષણનો પ્રેમપત્ર’ (તા. ૧-૯-૭૨) એક ઉત્કટ પ્રેમી જ આવો પત્ર પોતાની પ્રેમિકાને લખી શકે. સાદી-સરળસૌમ્ય ભાષામાં આરાધનાને સંબોધીને આ પત્ર લખ્યો છે કે, આરાધના સમયે કયા પરિબળોનું ધ્યાન રાખવું જોઈએ? અને પર્યુષણ પર્વ શા માટે છે ? એનું યુવાનોને ગમી જાય એવી સુંદર શૈલીમાં આલેખન કર્યું છે. “પર્યુષણ પ્રત્યે સાચો પ્રેમ હોય તો તારું સમગ્ર વ્યક્તિત્વ મારામાં ઓગાળી નાખ. મારામય બની જાય. તું-હું-ના ભેદ ના રહે તેવી એકાકાર બની જા. તારા રોમેરોમમાંથી સતત અહોનિશ મારો જ નાદ ગુંજવા દે. તારા પ્રત્યેક ધબકારમાં મને જ ધબકવા દે. દેહભાવને વિસરી આત્મભાવને સ્મરણમાં રાખ.” જો આરાધના પર્યુષણ પર્વને ખરેખર પ્રેમ કરે તો મોક્ષરૂપી શિવરમણીને અવશ્ય પામે. દેહભાવને ભૂલી આત્મભાવને સ્મરણમાં રાખવાથી જ આત્માના શુદ્ધ નિજ સ્વરૂપને પામી શકાય છે. કેટલા પ્રેમભર્યા શબ્દોથી એમણે આત્માના નિજ સ્વરૂપને પામવાનો માર્ગ દર્શાવ્યો છે. - શ્રી ગુણવંત શાહની ત્રીજી વિશિષ્ટતા હતી Lay-૦પાની. લેખની સામગ્રીને કેવી રીતે રજૂ કરવી તેની દષ્ટિ હતી. તેથી જ તેમના અંકોનું Lay-out હંમેશાં અદકેરું રહ્યું હતું. પ્રસંગ અને વાચક બનેનો જુદા જુદા દષ્ટિકોણથી વિચાર કરીને તે પ્રમાણે લેખોનું ચયન કરતા. વળી નાના-મોટા ટાઈપ વાપરીને અને સ્પેસ છોડીને લેખને આગવો ઉઠાવ આપતા હતા. એમની પાસે આકર્ષક શીર્ષકો રચવાની કળા હતી અને આકર્ષક માહિતીને બોક્સમાં મૂકીને એ લખતા હતા. એ રીતે દરેક પ્રકારના પ્રેક્ષક વર્ગને આકર્ષતા. | ‘જિન સંદેશ - વર્ષ -૨નો પર્યુષણ વિશેષાંક અને મિચ્છામી દુક્કડમ્ પૂર્તિ - અંક ૩૬-૩૭-૩૮, તા. ૧-૯-૭૨નું Lay-out ખૂબ સુંદર છે. પર્યુષણ વિશેષાંમાં પ્રથમ પર્યુષણના આઠ સંદેશ’ મધ્યમાં ‘આરાધનાને પર્યુષણનો પ્રેમપત્ર અને દેહથી વીર.... દિલથી મહાવીર' (ડો. કુમારપાળ દેસાઈ) છે ને છેલ્લે પાને ૨૧૧
SR No.023469
Book TitleJain Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherVeer Tattva Prakashak Mandal
Publication Year2014
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy