SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાધ્ધગુણવિવરણ ૧૫ ગૃહમાં પધાર્યા, અભયકુમાર પણ પિતાના પરિવાર સાથે જિનેશ્વરને વંદન કરવા માટે ગયા અને ત્યાં અવસર મળતાં ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું કે-હે ભગવાન ! આ ભરતક્ષેત્રમાં છેલ્લે રાજર્ષિ કોણ થશે ? ઉત્તરમાં ભગવાને જણાવ્યું કે-આ ઉદાયન ચરમ રાજર્ષિ છે. હવે પછી આ ઉદાયનથી મહેટા કે તેના સરખા રાજાએ દુષમ કાળના પ્રભાવથી સાધુવ્રતને અંગીકાર કરશે નહીં. આ વાત સાંભળી સંસારના ભયથી ભય પામેલા અભયકુમારે રાજાના પગમાં પડી પ્રથમ અંગીકાર કરેલું વર રાજા પાસે માગ્યું. હે તાત ! આટલા દિવસ સુધી ચરમ રાજષિપણાની ઈચ્છા રાખનાર મહારાવડે વ્રત ગ્રહણ કરવા માટે આગ્રહ કરાયે નથી. પરંતુ હમણાં તેવા પ્રકારની ભવિતવ્યતાના ગથી મને રાજર્ષિપણું પ્રાપ્ત થવાનું નથી, માટે જે આ૫ પિતાશ્રી મને અનુમતિ આપે તે હમણાજ ભગવાન મહાવીર સ્વામી પાસે હું મુનિવ્રત અંગીકાર કરૂં. અભયકુમારની આ વાત સાંભળી શકાકુળ હૃદયવાળા શ્રેણિક રાજાએ કહ્યું કેહે વત્સ! તારા જેવા ઉત્તમ પુરૂષોને એમ કરવું એગ્ય છે, પરંતુ મહારા રાજ્યનાં સંપૂર્ણ રાયકા કરવામાં તેજ સમર્થ હતો. આટલા દિવસમાં હારી બીજી કોઈ નાઓ મેંનિષ્ફળ કરી નથી તે આવા ઉત્તમકાર્યમાં વિધ્ર શામાટે કરૂં? જે રાજ્યને માટે રાજકુમારે અકાર્યો કરે છે તેવું રાજ્ય આપવા માંડયું તે પણ તે ગ્રહણ ન ન કર્યું તેથી હે પુત્ર! તને ધન્ય છે અને હારા ધર્મકાર્યના માર્ગમાં વિદ્ધ ન થાઓ એમ બોલી શ્રેણિક રાજાએ નિષ્ક્રમણ મહોત્સવ કરાવ્યું. અભયકુમાર પણ મેઘની પેઠે પુષ્કળ સુવર્ણની ધારાઓથી વૃષ્ટિ કરતો ભગવાન પાસે આવી પહોંચ્યા. ભગવાને વિધિપૂર્વક દીક્ષા આપી. અભયકુમારની માતા નંદા એ પણ તેની સાથે જ દીક્ષા ગ્રહણ કરી. કેટલાએક કાળે અભયકુમાર અગીયાર અંગને ધારણ કરનાર થયો. પછી ઘણા કાળ સુધી નિરતિચાર પ્રવજ્યા પાળી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો ત્યાંથી ચ્યવી (મનુષ્ય થઈ દીક્ષા ગ્રહણ કરી, મેક્ષમાં જશે. હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે – नयविनयविवेकच्छेकताधैर्गुणौधैः सकलजनमनांसि प्रीणयन्तो महान्तः।। अभयादिति लोके वल्लभत्वं दधाना निरूपमजिनधर्मे योग्यतां संश्यन्ते ॥ ५॥ શબ્દાર્થ –ઉપલી કથાના નાયક અભયકુમારની પેઠે નીતિ, વિનય, વિવેક અને નિપુણતા વિગેરે ગુણેએ કરી આ લોકમાં સમગ્ર લોકેના અંતઃકરણને સંતોષ પમાડનારા મહાન પુરૂષ જનવલ્લભપણને ધારણ કરી સર્વોત્તમ જિનધર્મની યેગ્યતાને મેળવે છે. ૫.” इत्यकोनत्रिंशत्तमो गुणः ॥ २९ ॥
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy