SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શાહગુણવિવરણ ૧૪૭ तं पुण पिय १ माइ २ सहायरेसु ३ पणइणि ४ अवच्च ५ सयणेसु ६ । गुरूजण ७ नायर ८ परतिस्थिएसु ९ पूरिसेण कायवम् ॥ ४॥ શબ્દાથ–વળી તે ઉચિત આચરણું પિતા, માતા, સહેદર-બાંધવ, ભાર્યા, સંતાન, સ્વજન, ગુરુજન, નગરલેક અને અન્યદર્શનીઓને વિષે ધર્મોથી પુરુષે કરવી જોઈએ. પો આ ભાવાર્થ –તેમાં પ્રથમ પિતા સંબંધી ઉચિત આચરણ કહે છે. પુત્ર પિતે જ વિનયપૂર્વક પિતાના શરીરની શુશ્રષા કિકરની પેઠે કરે તથા પિતાના વાક્યને મુખમાંથી નિકળતાં પહેલાં અંગીકાર કરી લે, તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. પગ ધોવા, શરીરનું મર્દન કરવું અને તેમને ઉઠાડવા-બેસાડવા વિગેરે કરવારૂપ અથવા દેશકાળ વિગેરેને અનુકૂળ શરીરના સુખને અર્થ કરવારૂપ સાભ્યની જે વ્યતાથી ભેજનશમા, વસ્ત્ર અને કેશર, ચંદન, કસ્તૂરી પ્રમુખ શરીરના વિલેપન વિગેરેને સપાદન કરવારૂપ પિતાના શરીરની સેવા મનની પ્રીતિના ઉત્કૃષ્ટરૂપ વિનયથી કરે પરંતુ બીજાના આગ્રહને લઈ અવજ્ઞાથી અથવા નોકરે થી પિતાની સેવા કરાવે નહીં. આ પ્રમાણે કાયા સંબંધી પિતાની ઉચિત આચરણ જાણવી. વચન સંબંધી ઉચિત આચરણ તે પિતાના મુખથી નિકળતા પહેલાં અર્થાત બોલતા આદેશરૂપ વચનને આદરપૂર્વક અંગીકાર કરે પરંતુ અવજ્ઞા કરે નહીં. હવે પિતાની મન સંબંધી ઉચિત આચરણ કહે છે. સર્વ પ્રકારના પ્રયત્નથી સર્વ કાર્યોની અંદર પિતાના ચિત્તને અનુસરે તથા બુદ્ધિના ગુણેન નિર્વાહ કરે અને નિયમના ભાવને પ્રકાશ કરે તથા પિતને પૂછીને કરવા ગ્ય કાર્યોની અંદર પ્રવૃત્તિ કરે, પિતાએ નિષદ્ધ કરેલ તે કાર્ય કરતે અટકી જાય. કાર્યમાં ખલિત થતાં કઠોર વચન કહેવામાં આવે તો પણ વિનયને લોપ કરે નહીં. વળી તે પિતાને ધર્મ સંબંધી થએલા મને રથને વિશેષપણે પરિપૂર્ણ કરે વિ. ઈત્યાદિ પિતાનું ઉચિત આચરણ જેમ કરવાનું છે, તેમજ માતાનું પણ ઉચિત આચરણ કરવું. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. તે પિતાને ધર્મ સંબંધી એટલે દેવની પૂજા, રુગુની સુશ્રષાધર્મનું શ્રવણ, વિરતિ તથા આવશ્યક-પ્રતિકમણને અંગીકાર, સાત ક્ષેત્રમાં દ્રવ્યને વ્યય અને તીર્થયાત્રા વિગેરે ધર્મ સંબધી મનોરથોને વિશેષપણે આદર સહિત પરિપૂર્ણ કરે. આ લેકમાં હરિણ, મહાપ વિગેરે ચક્રવર્તીની પેઠે લોકમાં ગુરુ સમાન પિતાના માતાપિતાને વિષે ઉચિત આચરણ કરવી તે ઉત્તમ સંતાનનું કર્તવ્ય છે, કારણ કે અત્યંત દુખે કરીને જેમના ઉપકારને બદલે ન
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy