SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ વક્તિજીવિત [૪-૪-૧૫. (૯) આ જ પ્રકરણવકતાને બીજે એક પ્રકાર બતાવે છે – મુખાદિ સંધિઓની વ્યવસ્થાને લીધે આનંદ આપનાર, સંવિધાનને લીધે સુંદર અને આગળનાં અને પાછળનાં અને સાથે સુસંગત એવી બેઠવણું હોય અને ૧૫ અનુચિત હોય તે કેવળ નિયમ પાળવા ખાતર અગેની યેજના કરવાને દુરાગ્રહ ન રાખે છે તે એ પ્રકરણ નવું વકતાયુક્ત લાવય પ્રગટ કરે છે. અંગેની વિશિષ્ટ ગોઠવણી વતાયુક્ત નવા જ લાવણ્યને પ્રગટ કરે છે. શાથી? તે કે આગળના અંગની અને પાછળના અંગની સંગતિને કારણે. એટલે કે તેમની વચ્ચે ઉપજીવ્ય અને ઉપજીવકને સુંદર સંબંધ જળવાયેલું હોય છે તેથી. એ સંગતિ કેવી? તે કે મુખ પ્રતિમુખ વગેરે સંધિઓને લીધે સુંદર. વળી કેવી ? તે કે પ્રસ્તુત પ્રકરણના સંવિધાનની કુશળતાને લીધે આનંદ આપનાર. એને અર્થ એ કે પ્રબંધેમાં દરેક આગવું પ્રકરણ દરેક પછીના પ્રકરણ સાથે સરસ સંધિ સંબંધથી સારી રીતે જોડાયેલું હોય તે એવું સંવિધાન સહદને વકતાને કારણે ખૂબ જ આનંદ આપનાર થઈ પડે છે. - જેમ કે “પુષ્પતિક'માં. એના પહેલા અંકમાં નાયક સમુદ્રદત્તને આપણે પ્રથમ પ્રિયાવિરહને કારણે પીડા અને નિરાનંદ જઈએ છીએ. એ પિતાની પત્ની નંદયંતીની વિધિસર વિદાય લીધા વગર જ સમુદ્રતીરે આવે છે અને હવે તેને મળવાની ઉત્કંઠા પ્રગટ કરે છે. બીજા અંકમાં આપણે તેને પ્રવાસેથી આવીને મધરાતે, કુલવયને પિતાની વીંટી લાંચમાં આપી, તેનું મોઢું બંધ કરી, બગીચામાં પિતાનું મેટું ઓળખાય નહિ એ રીતે પિતાની પત્ની
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy