SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૩-૨૦, ૨૧, ૨૨] વક્રાતિજીવિત ૨૩પણ હવે તમને એ સ્વીકાર્યું હોય એમ લાગે છે. તે એને ખુલાસે તમારે કરવો જોઈએ તે અમે કહીશું કે વાત સાચી છે. અમારો ખુલાસો એ છે કે પૂર્વાચાર્યોના કહેવાનું તાત્પર્ય એ હતું કે એકલું ક્રિયાપદ જ દીપક હેઈ શકે, જ્યારે અમારું કહેવું એવું છે કે ઘણાં કર્તાપદે પણ દીપક હોઈ શકે છે. આ લેકમાં પ્રીતિ વગેરે પહેલાં હતાં જ નહિ અને મદ વગેરેને લીધે પહેલી જ વાર ઉત્પન થયાં એવું નથી. કારણું, મદ વગેરે પ્રીતિ વગેરેનાં નિયત કારણ નથી. અહીં કવિને અભિપ્રાય એટલે જ સમજ જોઈએ કે પ્રીતિ વગેરે પિતે જ અસ્તિત્વ ધરાવતાં હોય છતાં મદાદિ તેમાં કેઈ અપૂર્વ સૌંદર્ય ઉત્પન્ન કરે છે. યૌવનના સંબંધમાં નિયતિ (ઉત્પન્ન કરે છે) એ ક્રિયાપદને અર્થ એ કરે જોઈએ કે યૌવન એ સ્ત્રીઓના અસાધારણ સૌંદર્યમાં વધારો કરે છે. અથવા આપણે અહીં વતિ (પ્રદીપ્ત કરે છે) એ પાઠ લે. હવે આ ચર્ચાને ઉપસંહાર કરતાં કહે બીજા પદાર્થો સાથે યથાયોગ્ય રીતે જોડાતા ક્રિયાપદવાણું, તદિના હૃદય સાથે સંવાદ સાધનારું અને વણર્ય વિષયની શેભામાં વધારે કરનારું વસ્તુ તે દીપક આમ દીપકનું નિરૂપણ કર્યા પછી સામ્યપ્રધાન રૂપકની ચર્ચા ૨૧, ૨૨ જે વસ્તુ પોતાનું સ્વરૂપ (બીજાને) આપી દઈને સાય વ્યક્ત કરી વહુર્ય વસ્તુની શોભાનું કારણ બને તે ઉપચારસર્વસ્વ રૂપક અલંકાર કહેવાય. એના બે પ્રકાર છેઃ (૧) સમસ્તવસ્તુવિષય અને (૨) એકદેશવિવતિ.
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy