SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૩–૧૪,૧૫, ૧૬) વક્રોક્તિજીવિત ૨૨૯ રસવત્ નામને બધા અલંકારને આ અગ્રણે કાવ્યના ઉત્કર્ષનું એકમાત્ર કારણ હેઈ ચૂડામણિ જે શેભે છે.” ૭૩ “કવિ કૌશલનું સર્વસ્વ આજે જ સ્પષ્ટ રીતે પ્રગટ કરવામાં આવ્યું છે, આશા રાખીએ છીએ કે વિદ્વાનેના વિચારને એ વિષય બનશે.” ૭૪ આ બે અંતરકે છે. આ રીતે નીરસ પદાર્થોને રસમય બનાવવા માટે રસવદલંકાર-નું નિરૂપણ કર્યું છે. હવે કેવળ પિતાના સ્વરૂપથી જ અસ્તિત્વ ધરાવતા પદાર્થોમાં કેઈ અપૂર્વ શોભા ખીલવવા માટે દીપક અલંકારનું નિરૂપણ શરૂ કરે છે. પ્રાચીન આચાર્યોએ જેમને દીપાવવાના છે તે પદની અપેક્ષાએ દીપાવનાર પદને આધારે, તે વાક્યના આદિમાં, મધ્યમાં કે અંતમાં આવેલું હોય તે પ્રમાણે એ અલંકારના આદિદીપક, મધ્યદીપક અને અંતદીપક એવા પ્રકાર પાડેલા છે. દીપાવે તે દીપક એવી વ્યુત્પત્તિને આધારે ક્રિયાપદને જ દીપક અલંકાર કહ્યો છે. જેમ કે – મદ ઉત્પન્ન કરે છે પ્રીતિને, તે રૂસણાથી ભંગ પામતા કામને, તે પ્રિયાના સમાગમની ઉત્કંઠાને અને તે અસહ્ય માનસિક દુઃખને.” ૭૫ માળા અને વસ્ત્ર ધારણ કરેલી સ્ત્રીઓને મધુ કહેતાં વસંત ભાવે છે, અને હારીત, પિપટ વગેરે પંખીઓની વાણી પર્વતની ઉપત્યકાઓને.” ૭૬ કંસારીવાળાં જંગલેને, સુકાતા જતા જળવાળી નદીઓને અને પ્રવાસીઓનાં ચિત્તને ગ્રીષ્મ અંત લાવવા ઈચ્છે છે.” ૭૭ આ ત્રણ કલેકે અનુક્રમે આદિ, મધ્ય અને અંત દીપકનાં ઉદાહરણ છે. એમાં પહેલા શ્લોકમાં પહેલા ચરણમાં નનતિ ક્રિયાપદ, બીજામાં
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy