SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ વક્રાક્તિજીવિત [૩-૧૧ હવે કારિકામાંના ‘શબ્દાર્થીની સંગતિ પણ સચવાતી નથી” એ ભાગ સમજાવે છે. શબ્દ અને અર્થના એટલે કે વાચક અને વાસ્થ્યના સમન્વય કહેતાં સંગતિ સધાતી નથી એટલે પણ રસવત્ અલંકાર એ શબ્દનું સમન થઇ શકે એમ નથી. ૨સવદલ કાર એ શબ્દમાં પહેલાં જેમાં રસ છે તે રસવત એમ રસને વત્ પ્રત્યય લગાડયા પછી તેનેા જે અલકાર તે રસવઠ્ઠલકાર એમ ષષ્ઠી તત્પુરુષ સમાસ કરવામાં આવે છે. અથવા રસવાન અલંકાર તે રસવદલ કાર એવા વિશેષણ (કર્મધારય) સમાસ કરવામાં આવે છે. એમાંથી જો પહેલા પક્ષ એટલે કે એ ષષ્ઠીતત્પુરુષ સમાસ છે એમ સ્વીકારીએ તે પ્રશ્ન એ થાય છે કે રસ સિવાય બીજો કા પદાર્થ અહીં ડાય છે, જેના એ અલકાર થઈ શકે? એ પદ્મા તે કાવ્ય પાતે જ છે એમ જો કહા તે એ અલ કાય' કાવ્યમાં એનાથી જુદા એવા બીજા કયા પદાર્થ છે, જેને રસવઠ્ઠલકાર નામ આપી શકાય ? એવા કોઈ વિશેષ અલગ પદાર્થ જેવા મળતા નથી, જેને રસવઠ્ઠલંકાર નામ આપી શકાય. (અર્થાત્ આ રીતે વિચારીએ તે અલ'કા' અને અલકાર એવા એ અલગ પદાર્થોં મળતા નથી) એટલે ષ્ઠીતત્પુરુષ સમાસ માનવાથી રસવદલ'કાર શબ્દ તથા તેના અથ વચ્ચે કાઇ સંગતિ સધાતી નથી. અથવા જો એમ કહો કે ષષ્ઠીતત્પુરુષ અને કર્મધારય બંને સમાસમાં બીજા' ઉદાહરણ મારફતે શબ્દાર્થની સંગતિ સાધી શકાય એમ છે, જેમ કે— આ લતા જાણે મારી પ્રિયા ઉ`શી છે. એનાં પલ્લવ મેઘના જળથી ભીનાં થયેલાં છે, કેમ જાણે એના અધર આંસુથી ધાવાઇ ગયા ન હાય, ઋતુ વીતી જવાને કારણે એને ફૂલ આવવાં બંધ થઈ ગયાં છે, કેમ જાણે એણે આભૂષણ્ણાને ત્યાગ ન કર્યાં હાય, એના ઉપર ભ્રમર ગુજારવ કરતા નથી, કેમ જાણે એ ચિંતાને કારણે મૂંગી ન થઈ
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy