SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૩–૨] વાક્તિવિત ૧૮૬ જોકે પ્રસ્તુત વણ્ય વિષયને શેાભાવતી હાય છે, તેમ છતાં અલ કાર્ સિવાય ખીજું કશું નથી હાતી. તેથી તેના અનેક ભેદોપલે જોવામાં આવે છે. જેમ કે— “આ(ઉર્વશી)ને રચવામાં શું કાન્તિ દેનાર ચંદ્ર, અથવા કેવળ શૃંગારરસમય મદન, અથવા પુષ્પાકર વસંત પોતે બ્રહ્મા થયા હતા ? કારણ, વેદાભ્યાસથી જડ થઈ ગયેલા અને વિષયા વિશે કૌતુહુલ વગરના ઘરડા મુનિ તે આવા સુંદર રૂપની રચના કરવાને કેવી રીતે સમર્થ થાય ?’’ (વિક્રમોર્વશીય, ૧૦૮) ૧૨ આ લેાકમાં કાન્તાના કાન્તિમત્ત્વ, અસીમ વિલાસસ'પત્તિનું પાત્રતા, સરસતા, લેાકેાત્તર સૌંદર્ય અને સુકુમારતાનું પ્રતિપાદન કરવા માટે, તે તે સ્વભાવના પ્રાધાન્યને લીધે ઉચિત સંભાવનાનું અનુમાન કરીને (એટલે કે જે ગુણ જેનામાં પ્રધાન હોય તે તેના નિર્માતા હાઈ શકે એવી સભાવનાનું અનુમાન કરીને) ત્રણ જુ જુદા નિર્માતાએન એ સૃષ્ટિ હશે એવી ઉત્પ્રેક્ષા કરી છે. (જેમ કે એ ચદ્રની રચના હેાવાથી એનામાં કાન્તિમત્ત્વ, કામદેવની રચના હાવાથી અસીમ વિલાસસંપત્તિ તથા સરસતા અને પુષ્પાકર વસંતની રચના હોવાથી અસામાન્ય સૌષ્ઠવ અને સુકુમારતા હોય એ સંભવિત્ છે, એટલે એ ત્રણની એના બ્રહ્મારૂપે ઉત્પ્રેક્ષા કરી છે). અને એ ત્રણેનાં વિશેષણા સાથે સ્વયમ્’ના યાજેલા સંબંધ એ જ વાતને ખૂબ સ્પષ્ટપણે પ્રગટ કરે છે. જેમ કે, જે (ચંદ્ર) પાતે જ મનેહરુ કાન્તિવાળા હોય તે પેાતાના સૌજન્યને કારણે અરોચકી એટલે કે જેને અસુંદર વસ્તુ ગમે જ નહિ એવા હેાઈ તેનામાં કાન્તિમાન વસ્તુ નિર્માણ કરવાની નિપુણતા હોય એ ઉચિત છે. એ જ રીતે, જે (મદન) પાતે જ કેવળ શૃંગારરસરૂપ હોય તે પોતાની રસિકતાને લીધે જ સ-રસ વસ્તુ નિર્માણ કરવાની કુશળતા ધરાવતા હોય એ ઉચિત છે, તે જ રીતે, જે (વસંત) પાતે જ પુષ્પાકર હોય તે પેાતાના આભિજાત્યને કારણે એવી સુકુમાર વસ્તુનું જ સર્જન
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy