SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૨–૩૦] વક્રોક્તિજીવિત ૧૬૫ તુ વયમ્ એવું બહુવચનનું રૂપ અંતરંગતાને અભાવ અને તાચ્ય સૂચવવા માટે વાપર્યું છે. બીજું ઉદાહરણ– - “હે મધુકર, અમે તે તત્વાન્વેષણમાં જ મરી ગયા, ખરે કૃતાર્થ તે તું છે.” (અભિજ્ઞાનશાકુન્તલ, ૧-૨૪) ૧૦૨ અહીં પણ આગલા ઉદાહરણની પેઠે તાટધ્ય જ સૂચિત થાય છે. ત્રીજુ ઉદાહરણ– આંખે ખીલેલાં કમળનાં વન, અને બે હાથ સરેજોના ભંડાર છે.” ૧૦૩ આ વાક્ય પહેલા ઉન્મેષમાં ૬૪મા ઉદાહરણ તરીકે આવી ગયું છે (પૃ. ૧૦). અહીં દ્વિવચનવાળા શબ્દો (ને અને પાળ) બહુવચનના શબ્દ (વનનાનિ અને સોનાવર) સાથે સમાન અધિકરણમાં વપરાયા હોઈ એ વચનની ફેરબદલી સહદના હદયને હરી લે છે. ચોથું ઉદાહરણ “શાસ્ત્રો તે એની નવી આંખ છે.” ૧૦૪ આ શ્લેક આખો આ ઉન્મેષમાં ૨૯મા ઉદાહરણ તરીકે આવી ગયા છે (પૃ. ૧૨૦). અહીં પણ આગલા ઉદાહરણની પેઠે એકવચનના અને બહુવચનના શબ્દોને સમાન અધિકારણમાં જવાથી વૈચિત્ર્ય સધાયું છે. આમ, સંખ્યાવકતાનું નિરૂપણ કર્યા પછી, સંખ્યા સાથે પુરુષને સંબંધ હેવાથી, ક્રમ પ્રમાણે પુરુષવક્રતાનું નિરૂપણ કરે છે. ૩૦ જેમાં કાવ્યના સૌદર્ય માટે આત્મભાવ (પહેલો પુરુષ અને બીજો પુરુષ) અને પરભાવ (ત્રીજો પુરુષ) ઊલટસુલટ યોજવામાં આવે તે પુરુષવકતા જાણવી.
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy