SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-૧૦, ૧૧, ૧૨] વાક્તિજીવિત ૧૨૫, દક્ષિણની તરુણીના તરતના ઘસેલા દાંતના જેવી ઘુતિવાળા આ ચંદ્રને જો'' (બાલરામાયણ, ૧૦-૪૧) ૩૪ ચંદ્ર સ્વભાવથી જ સૌંદર્યાંસ'પન્ન છે, તેમ છતાં આ શ્લોકમાં તેને માટે વપરાયેલા પર્યાયે અથવા વિશેષપદે એવા છે જે સહૃદયાના હૃદયને આનંદ આપનાર કોઇ અપૂર્વ અતિશય ઉત્પન્ન કરી પદ્મપૂર્વા વકતાને પોષે છે. અહી પ્રસંગ એવા છે કે રામ રાવણને મારીને પુષ્પક વિમાનમાં બેસીને સીતા સાથે અયેાધ્યા પાછા ફરતા હાય છે ત્યારે તેની સાથેની વિશ્વભકથા દરમ્યાન કહે છે કે ‘હે સુંદરી, આ ચંદ્રને જો.’રમણીયતાને કારણે મનેહુર હૈ સીતા, સકળ લેાકેાના લેાચનના ઉત્સવરૂપ ચંદ્રને વિચાર કર. કારણ, તારા જેવાં રમણીય માણસા જ ચંદ્ર જેવા રમણીય પદાર્થના વિચાર કરે એ યાગ્ય છે. ‘રઘુવ‘શના રાજાઓના સંબધી' એમ કહીને એવું સૂચવવા માગે છે કે એ કઇ અજાણ્ય નથી, એ તે અમારે રઘુવશીએના સગા છે. એટલે એના તરફ નજર કરી એનું સંમાન કર. આથી પ્રકારાન્તરે રામના ચંદ્ર વિશેના દર જ સૂચિત થાય છે. બાકીનાં બીજા વિશેષણા પણ ચંદ્રના અલૌકિક ગૌરવમાં વધારા કરવા માટે જ આવ્યાં છે એમ જાહેર કરે છે. તેથી પ્રત્યેક વિશેષણ જુદી જુદી રીતે ચંદ્રના ઉત્કને જ પ્રગટ કરતું હોઈ અનેક પર્યાયેા હાવા છતાં એમાં પુનરુક્તિ નથી. ત્રીજા ચરણમાં વિશેષણવકતા છે, પર્યાયવકતા નથી. (૩) વાચ્યને અલ'કૃત કરી શકે એવા પર્યાય વાપરવે એ પદ્મપૂર્વાવક્રતાનો એક બીજો પ્રકાર છે. કેવી રીતે? તા કે બીજી રમ્યછાયાના સ્પર્શને લીધે. વળી કેવી રીતે ? તા કે પોતે અથવા પોતાના વિશેષણુ મારફતે. જેમાં પર્યાય પાતે વાચ્યાર્થને અલંકૃત કરતા હાય એવું ઉદાહરણ— આ જડ જગતમાં મારી વાત (સાંભળવાને) પાત્ર મોટા કાન અને મોટા હાથ(સૂંઢ) વાળા કાણુ હશે ? એમ વિચારી આવેલા ભ્રમરને જેણે તરત જ ઝટકી નાખ્યા
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy