SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ વક્રેતિજીવિત [૧-૪૯-૫t. ૫૧ જેમાં બંને માગની સંપત્તિ પરસ્પરસ્પધિ રૂપે રહેલી હોય છે; એ આ ભયમ માગ ભિન્ન રચિના સહૃદયને મને રંજક થઈ પડે છે. [૫૧] આ માર્ગને મધ્યમ માર્ગ કહે છે. એ કે છે? તે કે એ જુદી જુદી રુચિવાળા એટલે કે સુકુમાર, વિચિત્ર અને મધ્યમ એ ત્રણે માર્ગના પ્રેમીઓને મનહર થઈ પડે એવો છે. [૪૯] એમાં સુકુમાર અને વિચિત્ર એ બંને માર્ગોનું સૌંદર્ય સરખા પ્રમાણમાં, એટલે કે ન કોઈ વધારે ન કોઈ ઓછું હોય છે. એમાં વિચિત્ર માર્ગનું ચિત્ર્ય અને સુકુમાર માર્ગનું સૌકુમાર્ય એકબીજા સાથે ભળી જઈને શેભે છે. એને અર્થ એ. છે કે એમાં સહજ અને આહાર્યા અથર્ કવિપ્રતિભામાંથી પ્રગટેલી અને વ્યુત્પત્તિથી પ્રાપ્ત થયેલી બંને પ્રકારની સુંદરતા હોય છે. એટલે તે ખૂબ દીપી ઊઠે છે. [૫૦] એમાં માધુર્યાદિ ગુણેને સમૂહ, મધ્યમ વૃત્તિને અનુસરીને એટલે કે બંનેની શેભા ધરાવતી પિતાની સ્વાભાવિક ગતિને અનુસરીને, રચનાની શેભાના અતિશયને પિષતે હોય છે. હવે એ માર્ગના ગુણેનાં ઉદાહરણ જોઈએ. માધુર્યનું ઉદાહરણ જેમ કે – “ખજૂરીનાં વૃક્ષની હારવાળા મહાસાગરને કિનારે, લતાવાળાં વૃક્ષોને અઢેલીને લહેરથી ઝૂકેલી, કાંઠોના મંદ મંદ પવનથી જેના વાળ ઊડી રહ્યા છે એવી, અપરાંતની સ્ત્રીઓ જેનાં પરાકનાં ગીત ગાય છે” (પાદતાડિતકભાણ, લેક પ૫) ૧૧૧ કુંતકે સુકુમાર માગના માધુર્ય ગુણમાં ઝાઝા સમાસ નથી લેતા એમ કહ્યું છે અને વિચિત્ર માર્ગના માધુર્ય ગુણમાં શિથિલતા નથી હોતી એમ કહ્યું છે. આ ઉદાહરણમાં એ બંનેનું મિશ્રણ છે. એમાં ઝાઝા સમાસ પણ નથી તેમ શિથિલતા પણ નથી, ઉપરાંત “ત', ૪', “' વગેરે
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy