SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ આલેચના કરવી ] આલાયણા આપનારા ગુરૂ કેવા ગુણવાળા હાય. ૨૯૫ આવાવ માહારવ, વવહારગ્ગીર્ "વળીય !! *પરિક્ષાની નિમ્નેવધવાયત્ત્તી ગુરુ નિબો ॥ ૪ ॥ અથ ૧ આચારવાન એટલે જ્ઞાનાદિ પાંચ આચારને પાલન કરનારા, ૨ આધારવાન એટલે આલાએલા દોષનું ખરાખર મનમાં સ્મરણુ રાખનારા, ૩ વ્યવહારવાન એટલે પાંચ પ્રકારના વ્યવહાર જાણી પ્રાયશ્ચિત્ત આપવામાં સમ્યક્ પ્રકારે વત્તન કરનારા, પાંચ પ્રકારના વ્યવહાર છે તે આ રીતે—૧ પહેલે આગમ વ્યવહાર તે કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની ચતુર્થાંશપૂર્વી, દેશપૂર્વી અને નવપૂર્વીના જાવે. ૨ ખીન્ને શ્રુત વ્યવહાર તે આઠથી અ પૂર્વ' સુધીનાં પૂર્વધર, અગિઆર અંગના ધારક તથા નિશીથાર્દિક સૂત્રના જાણુ વગેરે સવ શ્રુતજ્ઞાનીઓના જાવે... ૩ ત્રીજો આજ્ઞા વ્યવહાર તે ગીતાર્થ એ આચાર્યોં દૂર દેશમાં રહેલા હેાવાથી એક બીજાને મળી ન શકે તે તેનું કેઈ જાણી ન શકે એવી રીતે જે માંહેામાંહે આલેયણા પ્રાયશ્ચિત્ત આપે છે તે રૂપ જાણવા. ૪ ચેાથા ધારણા વ્યવહાર તે પેાતાના ગુરૂએ જે દાંષનું જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય તે ધ્યાનમાં રાખી તેમુજબ બીજાને આપવું તે રૂપ જાણવા. ૫ પાંચમા જીત વ્યવહાર તે સિદ્ધાંતમાં જે દાખનું જેટલુક પ્રાયશ્ર્ચિત્ત કહ્યું હોય તે કરતાં ઓછું અથવા અધિક પ્રાયશ્ચિત્ત પર ંપરાને અનુસરીને આપવું. એ રૂપ જાણવા. ૪ અપત્રીડક એટલે આલેાયણા લેનાર શરમથી બરાબર ન કહેતા હોય તા તેને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી કથા એવી રીતથી કહે કે તે સાંભળતાંજ આવે ચણા લેનાર શરમ છેડીને સારી રીતે આલેાવે. એવા. ૫ પ્રભુ એટલે આલે ચણા લેનારની સદ્ પ્રકરે શુદ્ધિ કરે એવા. હું અપરિશ્રાવી એટલે આàાયણા આપી હાય તે ખીજાને ન કહેનારા એવા છ નિય્યપ એટલે જે જેટલું પ્રાયશ્ચિત્ત લઈ શકે તેને તેટલુ જ આપનારા. ૮ અપાયદશી એટલે સમ્યક્ આલેાયણા અને પ્રાયશ્ચિત્ત ન કરનારને આ ભવમાં તથા પરભવમાં કેટલ' દુઃખ થાય છે તે જાણુનારા; એવા ગુરૂ આલોયણા આપવાને સમર્થ છે એમ કહ્યું છે. આઠે ગુણવાળા आलोअणापरिणओ, सम्मं संगपट्टिओ गुरुसगासे ॥ ज अंतरावि काल, करिज्ज आराहओ तहनि ॥ ५॥ અર્થ:—આલેાયણા લેવાના શુભ પરિણામથી ગુરૂની પાસે જવા નીકળેલા ભન્ચ જીવ, જો કદાચ આલેચણા લીધા વિના વચ્ચેજ કાળ કરી જાય, તાપણ તે આરાધક થાય છે. आयरिआइ सगच्छे, संभोइअ इअर गीअ पासत्थे || સાવી પાઇ, ટ્રેવયહિમા સિદ્રે ! ક્॥ અ—૧ સાધુએ અથવા શ્રાવકે પહેલા તે પોતાના ગચ્છનાજ જે આચાય હાય, તેમની પાસે જરૂર આલેાયણા લેવી, તેમના જોગ ન હોય તે પેાતાના ગચ્છનાજ ઉપાધ્યાય, તે ન હોય તેા પેાતાના ગચ્છનાજ પ્રવત્તક, સ્થવિર અથવા ગણાવ ́ઢી એમની પાસે આ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy