SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રાદ્ધ વિધિ છે.” ભાવના શબ્દ કરતાં પ્રભાવના શબ્દમાં જ એ અક્ષર વધારે છે. તે યુક્તજ છે. કેમકે, ભાવના તે તેનાં કરનારનેજ મોક્ષ આપે છે, અને પ્રભાવના તે તેના કરનારને તથા બીજાને પણ મોક્ષ આપે છે.” ૧૧ દરેક વર્ષે આલોચના કરવી; તેમજ ગુરૂને યોગ હોય તે દરવર્ષે જઘન્યથી એક વાર તે ગુરૂ પાસે જરૂર આલેયણા લેવી. કહ્યું છે કે દરવર્ષે ગુર આગળ આયણ લેવી. કારણ કે, પિતાના આત્માની શુદ્ધિ કરવાથી તે આત્મા દર્પણની માફક નિર્મળ થાય છે. આગમમાં શ્રી અવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે, તે આ પ્રમાણે માસી તથા સંવત્સરીને વિષે આલેયણા તથા નિયમ ગ્રહણ કરવા તેમજ અગાઉ ગ્રહણ કરેલા અભિયહ કહીને નવા અભિગ્રહ લેવા.” શ્રાદ્ધજીતકેપ આદિ ગ્રંથમાં આલેયણા વિધિ કહ્યો છે, તે નીચે પ્રમાણે – पक्खिअचाउम्मासे, वरिसे उक्कोसओ अ बारसहिं ॥ नियमा आलोइज्जा, गीआइगुणस्स भणिअं च ॥ १॥ અર્થ–પષ્મી, માસી અથવા સંવત્સરીને દિવસે તેમ ન બને તે, ઘણામાં ઘણા બાર વરસ જેટલા કાળે તે અવશ્ય ગીતાર્થ ગુરૂ પાસે આલેયણા લેવી, કહ્યું છે કે – सल्लुद्धरणनिमित्तं, खितमि सत्तजोअणसयाई॥ काले बारस वरिसा, गीअत्थगवेसणं कुज्जा ॥२॥ અથર–આલોયણા લેવાને સારૂ ક્ષેત્રથી સાતસો જન પ્રમાણ ક્ષેત્રમાં તથા કાળથી બાર વરસ સુધી ગીતાર્થ ગુરૂની ગષણા કરવી. હવે આલેયણા આપનાર આચાર્યનું લક્ષણ કહે છે.. નીઝ કોબી, રાત્તિ તા લુણો . ભગમ વિસારું, મનિષો સાયબાયરિગો રૂ II અર્થ-આલોયણા આપનાર આચાર્ય ગીતાર્થ એટલે નિશીથ વગેરે સૂત્રના અર્થને જાણ, ૨ કૃતવેગી એટલે મન વચન કાયાના શુભયોગ રાખનારા અથવા વિવિધ તપસ્યા કરનારા, અર્થાત વિવિધ પ્રકારના શુભ ધ્યાનથી તથા વિશેષ તપસ્યાથી પિતાના જીવને તથા શરીરને સંસ્કાર કરનારા. ૩ ચારિત્રી એટલે નિરતિચાર ચારિત્ર પાળનારા, ૪ ગ્રાહણા કુશળ એટલે આલેયણા લેનાર પાસે બહયુક્તિથી જુદા જુદા પ્રકારનાં પ્રાયશ્ચિત્ત તથા તપ આદિ કબૂલ કરાવવામાં કુશળ, ૫ ખેદજ્ઞ એટલે આલેયણા તરીકે આપેલી તપસ્યા વગેરે કરવામાં કેટલે શ્રમ પડે છે? તેની જાણ અથવા આલેયણાવિધિનું જેમણે ઘણા અભ્યાસથી જ્ઞાન મેળવ્યું છે એવા, ૬ અવિષાદી એટલે આયણ લેનારને હોટો દેશ સાંભળવામાં આવે. તે પણ વિષાદ ન કરનારા આલેયણા લેનારને જુદાં જુદાં દષ્ટાંત કહી વૈરાગ્યના વચનથી ઉત્સાહ આપનારા એવા શાસ્ત્રમાં કહ્યા છે..
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy