SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપૂજા શત્રિજાગરણ ] ૨૯૧ સેાનૈયાની કિંમતનાં પાંચ મણિકય રત્ન ખરીદ્યાં હતાં, અને અંત વખતે મને તેમણે કહ્યું કે, ‘ શ્રી શત્રુ ંજય, ગિરનાર અને કુમારર્ષાળ પટ્ટન એમાં નિવાસ કરનારા ભગવાનને એકેક રત્ન ત્યારે આપવું. અને એ રત્ન પેાતાને સારૂ રાખવાં.' પછી જગડુશાએ તે ત્રણે રત્ના સુવર્ણ જડિત કરી શત્રુંજયનિવાસી ઋષભ ભગવાનને, ગિરનારવાસી શ્રી નેમિનાથજીને તથા પટ્ટણવાસી શ્રી ચંદ્રપ્રભુજીને કંઠાભરણુ તરીકે આપ્યાં. એક વખતે શ્રી ગિરનારજી ઉપર હઁગ ખર તથા શ્વેતાંબર એ બન્નેના સંઘ સમ કાળે આવી પહેાંચ્યા, અને અન્ને જણા અમારૂં તીથ કહી ઝઘડો કરવા માંડયા. ત્યારે ‘જે ઈન્દ્રમાળા પહેરે તેનું આ તીથ છે.' એવા વૃદ્ધ જનાના વચનથી પેથડ શેઠે છપ્પન ઘડી પ્રમાણુ સુવણૅ આપી ઇન્દ્રમાળા પહેરી અને યાચકાને ચાર ઘડી પ્રમાણ સુવણુ આપી તીથ પેાતાનું છે એમ સિદ્ધ કર્યુ. આ રીતેજ પહેરામણી, નવાં ધેાતીયાં, જાત જાતના ચંદ્ગુઆ, અગલૂહાં દ્વીપકને સારૂ તેલ, ઉંચુ ચંદન, કેસર, ભાગ, વગેરે જિનમંદિરે ખપમાં આવતી વસ્તુ દર વર્ષે શકિત પ્રમાણે આપવી. ૬-૭ મહાપૂજા તથા રાત્રિ જાગરણ કરવું. તેમજ ઉત્તમ આંગી, વેલટ્ટિની રચના, સર્વાંગના આભુષણુ, ફૂલઘર, કેલિર, પૂતળીના હાથમાં ફુવારા વગેરેની રચના તથા વિવિધ પ્રકારનાં ગાયન નૃત્ય વગેરે ઉત્સવ વડે મહાપૂજા તથા રાત્રિ જાગરણ કરવાં. જેમ એક શેઠે સમુદ્રમાં મુસાફરી કરવા જતાં એક લાખ દ્રવ્ય ખરચીને મહાપૂજા ભણાવી, અને મનગમતા લાભ થવાથી ખાર વર્ષે જ્યારે પાછા આવ્યા ત્યારે હર્ષોંથી એક ક્રોડ રુપિયા ખરચી ફીજિનમદિર મહાપૂજા વગેરે ઉત્સવ કર્યાં. ૮ શ્રુતજ્ઞાનપૂજા. તેમજ પુસ્તક વગેરેમાં રહેલા શ્રુતજ્ઞાનની કપૂર ધૂપ આદિ વસ્તુ વડે, સામાન્ય પૂજા તા ગમે ત્યારે બની શકે તેમ છે. માટે તે દરરાજ કરવી. મૂલ્યવાન વસ્ર વગેરે વસ્તુ વડે વિશેષ પૂજા દર માસે અજવાળી પાંચમને દિવસે શ્રાવકને કરવી ચેાગ્ય છે. તેમ કરવાની શકિત ન હોય તેા જઘન્યથી વર્ષીમાં એકવાર તે અવશ્ય કરવીજ. આ વાત અમે જન્મકૃત્યની અંદર આવેલા જ્ઞાનભકિત દ્વારમાં વિસ્તારથી કહીશું. હું અનેક પ્રકારનાં દ્યાપન કરવાં. તેમજ નવકાર, આવશ્યક સૂત્ર, ઉપદેશમાળા, ઉત્તરાધ્યયન વગેરે જ્ઞાન, દર્શન અને જુદા જુદા પ્રકારના તપ સંબંધી ઉજમણામાં જધન્યથી એક ઉજમણું તે દર વર્ષે યથા વિધિ જરૂર કરવું, કહ્યું છે કે માણસાને ઉજમણું કરવાથી લક્ષ્મી સારે સ્થાનકે જોડાય. તપસ્યા પણ સફળ થાય, નિરંતર શુભ ધ્યાન, 'ભન્ય જીવાને સમકિતનેા લાલ, જિનેશ્વર મહારાજની ભકિત તથા જિનશાસનની Àાલા થાય, એટલા ગુણ થાય છે. તપસ્યા પૂરી થયા પછી ઉજમણું કરવું તે નવા બનાવેલા જિનમદિરે કળશ 'ચઢાવવા
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy