SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ પૌષધ વિધિ ] છે ઔષધ વગેરે કામમાં ઉપર કહેલી વસ્તુ લેવી હાય તા સારી પેઠે તપાસીને ઘણીજ સંભાળથી લેવી. તેમજ ૧૪ વર્ષે કાળના ચામાસામાં ખાટલે,ન્હાવુ, માથામાં ફૂલ વગેરે શું થવાં, લીલું દાતણુ, પગરખાં વગેરે વસ્તુને યથાશક્તિ ત્યાગ કરવા. ૧૫ ભૂમિ ખાવી, વજ્ર વગેરે ર’ગવાં, ગાડાં વગેરે ખેડવાં, ખીજે ગામે જવું વગેરેની પણ આધા લેવી. ૧૬ ઘર, હટ, ભીંત, થાંભલેા, કપાટ, પાટ, પાટિયું, પાટી, શી, ઘીનાં તેત્રનાં તથા પાણી વગેરેનાં તથા બીજા વાસણ, ઇંધણાં ધાન્ય વગેરે સવે વસ્તુઓને નલકુલ વગેરે જીવથી સસક્ત ન થાય. તે માટે જેને જે યોગ્ય હોય તે પ્રમાણે કેઇને ચૂના લગાડવા, કાઇમાં રાખ ભેળવવી, તથા મેલ કાઢી નાખવે, તડકામાં મૂકવું, શરદી અથવા ભેજ ન હોય તેવા સ્થાનકમાં રાખવુ' વગેરે સ’ભાળ લેવી. ૧૭ પાણીની પણ એ ત્રણ વાર ગળવા વગેરેથી યતના કરવી. ૧૮ ચીકણી વસ્તુ, ગાળ, છાસ, પાણી વગેરેની પણ સારી પેઠે ઢાંકણુ વગેરે મુકીને સંભાળ કરવી. એસામણના તથા સ્નાનના પાણી વગેરેને લીલકુલ વળેલી ન હોય એવી ધૂળવાળી શુદ્ધ ભૂમિને વિષે છુટુ છુટુ અને થાડું થોડું નાંખવુ. ૧૯ ચૂલાને અને દીવાને ઉઘાડા ન મૂકવા પડે તે માટે ખાસ સંભાળ લેવીાં ૨૦ ખાંડતુ, દળવુ, રાંધવું, વજ્રપાત્ર વગેરે ધેમાં ઇત્યાદિ કામમાં પણ સમ્યક્ પ્રકારે જોઈ કરીને સભાળ રાખવી. ૨૧ જિનમંદિરની તથા પૌષધશાળા વગેરેની પણ જોઇએ તેવી રીતે સમારવાવડે ઉચિત ચતના શખવી. તેમજ ૨૨ ઉપધાન, માસાદિ પ્રતિમા, કષાયજય, ઇંદ્રિયજય, ચેાગવિશુદ્ધિ, વીશ સ્થાનક, અમૃત આઠમ, અગિયાર અંગ, ચૌક પૂર્વ વગેરે તપસ્યા તથા નમસ્કાર ફળતપ, ચતુવિ તિકા તપ, અક્ષયનિધિ તપ, દમયંતી તપ, ભદ્રશ્રેણી તપ, મહાભદ્રશ્રેણિ તપ સંસારતારણુ તપ, અઠાઈ, પક્ષખમણુ, માસખમણ વગેરે વિશેષ તપસ્યા પણ થયાશક્તિ કરવી. ૨૩ રાત્રિએ ચવિહાર અથવા તિવિહારનું પચ્ચખ્ખાણુ કરવુ. ૨૨ પવ'ને વિષે વિગઈમા ત્યાગ તથા પૌષધ ઉપવાસ વગેરે કરવું. ૨૫ દરરોજ અથવા પારણાને દિવસે અતિથિસવિભાગના અવશ્ય લાભ લેવા વગેરે વગેરે. २७७ ચામાસામાં જુદા જુદા અભિગ્રહ ધારણુ કરવા. પૂર્વાચાર્યોએ ચામાસાના અભિગ્રહ કહ્યા છે, તે આ પ્રમાણેઃ—જ્ઞાનાચાર, દનાચાર ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાંચાર. આશ્રયી દ્રવ્યાદિ ભેદથી અનેક પ્રકારના ચાતુર્માસિક અભિગ્રહ હાય છે. (૧) તેના અનુક્રમ આ પ્રમાણે:—તત્ર જ્ઞાનાચારને વિષે ૧ મૂળસૂત્રવાંચવારૂપ સજ્ઝાય કરવી. ૨ વખાણ સાંભળવું. ૩ સાંભળેલા ધર્મનું ચિંતવન કરવું અને ૪ શક્તિ પ્રમાણે અજવાળી પાંચમને દિવસે જ્ઞાનની પૂજા કરવી. (૨) દશ નાચારને વિષે ૧ જિનમદિરમાં કાજો કાઢવા, લીંપવુ, ગુંđલી માંડવી વગેરે. ૨ જિનપૂજા, ચૈત્યવંદન અને જિનબિંબને વટાં કરીને નિર્દેળ કરવા વિગેરે વિગેરે કાર્યો કરવાં (૩)
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy