SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ [ શ્રાદ્ધ વિધિ સાંભળવામાં આવે છે કે—સવે તિથિઓની આરાધના કરવાને અસમર્થ એવા કૃષ્ણ મહારાજે શ્રીનેમિનાથ ભગવાનને પૂછ્યું કે, હે સ્વામિન્! આખા વર્ષમાં આરાધવા ચેાગ્ય ઉત્કૃષ્ટ પવ કયું ?” ભગવાને કહ્યું કે “હે મહાભાગ! જિનરાજના પાંચ કલ્યણુકાથી પવિત્ર થયેલી માગશર શુદ અગિઆરશ (મૌન અઆિશ) આરાધવા ચેગ્ય છે. કારણ કે આ તિથિને વિષે પાંચ ભરત અને પાંચ એરવત મળી દશ ક્ષેત્રમાં એકએકનાં પાંચ પાંચ પ્રમાણે સ* મળી પચાસ કલ્યાણક થયાં છે.” આ પછી કૃષ્ણ મહારાજે મૌનસહિત પૌષધ ઉપવાસ કરીને તે દિવસની આરાધના કરી. તે પછી જેવા રાજા તેવી પ્રજા” એવા ન્યાય હાવાથી સર્વ લેાકેામાં આ એકાદશી આરાધવા ચેાગ્યપણાએ પ્રસિદ્ધ થઈ. પતિથિએ વ્રત પચ્ચખાણ વગેરે કરવાથી મેાટુ ફળ મળે છે. કેમકે, તેથી શુભ ગતિનું આયુષ્ય ખાય છે. આગમમાં કહ્યું છે કે—પ્રશ્નઃ—‘હે ભગવન્ ! બીજ વગેરે તિથિઓને વિષે કરેલું ધર્માનુષ્ઠાન શું ફળ આપે છે? ઉત્તરઃ—હે ગૌતમ! બહુ ફળ આપે છે. કેમકે, પ્રાયે આ પતિથિઓને વિષે પરભવનું આયુષ્ય બંધાય છે. માટે એને વિષે જાત જાતની તપસ્યા તથા ધર્મોનુષ્ઠાન કરવાં, કે જેથી શુભ આયુષ્ય ઉપર્જન કરાય.' પ્રથમથીજ આયુષ્ય બધાએલું હાય તા પાછળથી ઘણુંએ ધર્માનુષ્ઠાન કરવામાં આવે તે પણ તે ખાંધેલું આયુષ્ય ટળતું નથી. જેમ પૂર્વે શ્રેણિક રાજાએ ગર્ભવતી હરણીને હણી, તેના ગર્ભ જુદો પાડી પોતાના ખભા તરફ દષ્ટિ કરી પેાતાના ભૂજાખળની પ્રશંસા કરી ચિકણા અધ્યવસાયે નરકગતિનું આયુષ્ય ઉપાયું. પાછળથી તેને ક્ષાયિક સમ્યક્ત્વ થયું, તે પણ તે ખાંધેલું આયુષ્ય ટળ્યું નહી.. અન્યદર્શનમાં પણ પતિથિએ તેલ ચાપડી ન્હાવું તેમજ મથુન વગેરે કરવાની ના કહી છે. વિષ્ણુ પુરાણમાં કહ્યુ` છે કે— હે રાજે' ! ચૌદશ આઠમ, અમાસ, પુનમ, અને સૂર્યની સંક્રાંતિ એટલાં પવ કહેવાય છે. જે પુરૂષ આ પર્વને વિષે અભ્યગ કરે. સ્ત્રી ભાગવે, અને માંસ ખાય, તે પુરૂષ મરણ પામીને વિભુભેજન નામે નરકે જાય. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે— ઋતુને વિષે જ સ્ત્રી સભાગ કરનારા અને અમાવાસ્યા, અષ્ટમી, પૂર્ણિમા અને ચતુર્દશી તિથિયાને વિષે સંભાગ ન કરનારા બ્રાહ્મણ હંમેશાં બ્રહ્મચારી કહેવાય છે,' માટે પ આવે તે વખતે પેાતાની સર્વ શકિતવડે ધર્માચરણને વિષે યત્ન કરવા. પવના દિવસે થાડુ પણ કરેલ ધર્મ કાર્ય વધુ ફળ આપે છે. અવ અવસરે થાડું પણ પાન કેલેાજન કરવાથી જેમ વિશેષ ગુણ થાય છે, તેમ સરે થાડું પણ ધર્માનુષ્ઠાન કરવાથી ઘણું ફળ મળે છે. વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે ——‘શરદઋતુમાં જે કાંઇ જળ પીધુ હોય, પોષ માસમાં તથા માહા માસમાં જે કાંઈ ભક્ષણ કર્યું" હાય, અને જયેષ્ટ માસમાં તથા અસાઢ માસમાં જે કાંઇ ઉણ લીધી તે ઉપર માણસા જીવે છે. વર્ષાઋતુમાં મીઠું. શરદઋતુમાં પાણી, ડેમી (ભાગ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy