SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ શ્રાદ્ધ વિધિ - ના મ મ મ મ મ મ મ મ મ ક ક ક કw ૧ , * * * * * * * * * * * * * * ,૧૧ મન વચન અને કાયાના અશુભ યોગને જય ત્રણ ગુપ્તિથી, ૧૨ પ્રમાદને જય સાવધાનતાથી અને ૧૩ અવિરતિનો જય વિરતિના સેવનથી સહેજે થઈ શકે છે. આ બધી વાતો તક્ષકનાગના મસ્તકે રહેલ મણિગ્રહણ કરે તે ખુબ લાભ થાય અને અમૃત પાન કરે તે રેગ શેક ઉપદ્રવ ટળી અમર બને તેવા ઉપદેશની પેઠે અશકય છે તેમ પામ્યા અને બે “આ શું?” સ્થૂલિભદ્રે કહ્યું “રાજન ! મેં તમે કહ્યા મુજબ ખુબ ખુબ વિચાર કર્યો તે જણાયું કે સંસારમાં જન્મી યોગ્યપદ લેવા જેવું હોય તો આ સાધુપદ છે. આથી મેં સાધુપદ ગ્રહણ કર્યું છે' તુર્ત રાજમહેલ છેડી સ્થલિભદ્ર સંભૂતિવિજય આચાર્ય પાસે ગયા. અને વિધિપૂર્વક તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. કેશા સ્કૂલિભદ્રના દીક્ષા સમાચાર સાંભળી તુત તેમની પાસે આવી અને વિલાપ કરતાં કહેવા લાગી કે “મંત્રીપદ છોડી આ તમે શું લીધું અને તમારાથી લેવાયું પણ કેમ?” સ્થૂલિભદ્ર મૌન રહ્યા. ત્યાંથી તેમણે ગુરૂસાથે વિહાર કરવો આરંભ્ય. ચાતુર્માસ સમય નજીક આવ્યું. ગુરૂ પાસે રહેલા સાધુઓમાંથી એકે ગુરૂમહારાજ પાસે આવી સિંહની ગુફા આગળ રહી ચાતુમસ કરવાની માગણી કરી. બીજાએ મહા સપના બીલ આગળ ખડે પગે રહી ચાતુર્માસની અનુજ્ઞા માગી. ત્રીજાએ કુવાના કાંઠાની ભારવટ ઉપર રહી ચાતુર્માસ કરવાની રજા આપવા વિજ્ઞપ્તિ કરી. ત્યારે સ્થલિભદ્રે કહ્યું “ભગવાન ! હું કેશા વેશ્યાના ઘરમાં રહી ચાતુમસ કરવાની ઈચ્છા રાખું છું.' ગુરૂએ ચારે શિષ્યને જ્ઞાનથી તેમની યોગ્યતા પારખી તે તે સ્થળે ચાતુર્માસ કરવાની અનુજ્ઞા આપી. ગુરૂની અનુજ્ઞા મુજબ એક સિંહની ગુફાદ્વારે. બીજા સપના બીલ ઉપર અને ત્રીજા કુવાના કાંઠાની ભારવટે ચાતુર્માસ રા. સ્થૂલિભદ્રને આવતા જોઇ કશા સામે આવી પગે પડી. સ્થૂલિભદ્ર ચાતુર્માસ રહેવા તેની ચિત્રશાળાની માગણી કરી. કેશાએ આનંદ પામી વસતિ આપી. સ્થૂલિભદ્ર કેશાની ચિત્રસભામાં ચાતુર્માસ રહ્યા. રોજ વેશ્યા મુનિને ષસને આહાર વહેરાવે છે તેમજ નેત્રના વિકારે અને હાવભાવ તેમની સન્મુખ કરે છે. વર્ષાઋતુ હેવાથી ઠંડે પવન અને મેરાના આવા વાતાવરણને ઉત્તેજિત કરે છે, પ્રતિદીન નાટય વિનોદ વેશ્યાના આવાસમાં ચાલે છે, વધુમાં કેશા મુનિ પાસે આવી પૂર્વના પ્રસંગે યાદ કરાવે છે અને કહે છે કે “મારા જેવી આપને સ્વાધીન છતાં, યૌવન વય છતાં, આપે આ દીક્ષા શા માટે ગ્રહણ કરી ?” રઘુલિભદ્ર આ બધું અક્ષુબ્ધ મને નિહાળે છે અને વેશ્યાને જવાબ આપતાં કહેવા લાગ્યા. “હે કેશા ! સ્ત્રીનું શરીર અશુચિથી ભરેલું છે. સ્ત્રીને સ્તન એ માંસ ગ્રંથિ છે. સ્ત્રી એ મલમૂત્રની કયારી છે. આમાં કાંઈ મુગ્ધ થવા જેવું નથી. સ્ત્રીસંજોગ અનેક જીવેને ઘાત કરનાર છે. નરકે લઈ જનાર છે, અને ભભવ જીવને માહિત કરી રખડાવનાર છે. આમ છેવટે સ્થૂલિભદ્ર, નિશ્ચલ રહ્યા. કેશા છેવટે થાકી અને બોલી “આપ ધન્ય છે. કૃતાર્થ છે. નિશ્ચલ છે” તેણે લિભદ્ર પાસે
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy