SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચિતાચરણ ] ૨૧૫. ઈત્યાદિ નીતિશાસ્ત્ર વિગેરેમાં કહેલાં સર્વ ઉચિત આચરણને સુશ્રાવકે સમ્યફ પ્રકારે વિચાર કર. કહ્યું છે કે –“જે માણસ હિત કયું? અહિત કર્યું? ઉચિત વાત કઈ? અનુચિત કઈ વસ્તુ કઈ અવસ્તુ કઈ? એ પિતે જાણી શકતું નથી, તે શિંગડા વિ. નાને પશુ સંસાર રૂપી વનમાં ભટકે છે.” “જે માણસ બેલવામાં, જોવામાં, હસવામાં, રમવામાં, પ્રેરણા કરવામાં, રહેવામાં, પરીક્ષા કરવામાં, વ્યવહાર કરવામાં, શેવામાં, પૈસા મેળવવામાં, દાન દેવામાં, હાલચાલ કરવામાં. અભ્યાસ કરવામાં, ખુશી થવામાં અને વૃદ્ધિ પામવામાં કાંઈ જાણતું નથી, તે બેશરમ શિરોમણિ દુનિયામાં શા માટે જીવતે હશે?” “જે માણસ પિતાને અને પારકે ઠેકાણે બેસવું, સૂવું, ભેગવવું, પહેરવું, બોલવું એ સર્વ બરાબર જાણે તે ઉત્તમ વિદ્વાન જાણુ.” આ સંબંધી વિસ્તારથી લખવાની કઈ વિશેષ જરૂર જણાતી નથી. વ્યવહાર શુદ્ધિ વગેરે ત્રણ શુદ્ધિથી પૈસા મેળવવા સંબંધી આ પ્રમાણે એક દૃષ્ટાંત છે—વિનયપુર નગરમાં ધનવાન અને વસુભદ્રાને ધનમિત્ર નામને પુત્ર હતે. નાનપણમાં તેના માતાપિતા મરણ પામવાથી તે ઘણે દુઃખી તથા ધનની હાનિ થવાથી દરિદ્રી થયો. તરૂણ અવસ્થામાં. આવ્યો પણ તેને કન્યા મળી નહીં ત્યારે તે શરમાઈને ધન મેળવવા માટે પરદેશ ગયે તેણે જમીનમાં દાટેલું ધન કાઢવાના ઉપાય, કિમિયા, સિદ્ધરસ, મંત્ર, જળની તથા સ્થળની મુસાફરી, જાત જાતના વ્યાપાર, રાજાદિકની સેવા વગેરે ઘણા ઉપાય કર્યા, તે પણ તે ધનમિત્રને ધન મળ્યું નહીં. તેથી તેણે અતિશય ઉદ્વિગ્ન થઈ ગજપુર નગરમાં કેવળી ભગવાનને પિતાને પૂર્વભવ પૂ. કેવળી ભગવાને કહ્યું, “વિજયપુર નગરમાં ઘણે કૃપણ એ ગંગદત્તનામે ગૃહપતિ રહેતું હતું. તે ઘણે મત્સરી તથા બીજાને દાન મળતું હોય અથવા બીજા કેઈને લાભ થતો હોય તો તેમાં પણ અંતરાય કરતે હતે. એક વખતે સુંદર નામને શ્રાવક તેને મુનિરાજ પાસે લઈ ગ. કાંઈક ભાવથી તથા કાંઈક દાક્ષિણ્યથી તેણે દરરોજ ચેત્યવંદન પૂજા વિગેરે ધર્મ, કરણ કરવાને અભિગ્રહ લીધે. કૃપણ હોવાથી પૂજા વિગેરે કરવામાં ને આળસ કરતે હિતે. પણ ચેત્યવંદન કરવાને અભિગ્રહ તેણે બરાબર પાળ્યો. તે પુન્યથી હે ધનમિત્ર ! ત્યાંથી મરી આ ભવમાં તું ધનવાન વણિને પુત્ર થયે, અને અમને મળે. તું પૂર્વભવે કરેલા પાપથી ઘણે દરિદ્રી અને દુઃખી થયો છે. જે રીતે જે કર્મ કરાય છે, તે તેના કરતાં હજાર ગણું તેજ રીતે ભેગવવું પડે છે, એમ જાણીને ઉચિત હેય તે આચરવું.” કેવળીનાં એવાં વચનથી પ્રતિબંધ પામેલા ધનમિત્ર શ્રાવકપણું સ્વીકાર્યું. તથા રાત્રિના અને દિવસના પહેલા પહોરમાં ધર્મ જ આચર; એ અભિગ્રહ પણ ગ્રહણ કર્યો. પછી એક શ્રાવકને ઘેર તે ઉતર્યો. પ્રભાતકાળમાં માળીની સાથે બાગમાં કુલ ભેગાં કરીને તે ઘરદેરાસરમાં ભગવાનની પરમ ભક્તિથી પૂજા કરતે હતે. તથા બીજા, ત્રીજા
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy