SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચિતાચરણ ] ૨૦૫ ત્રીજા મિત્ર સમાન, ચેથા શકય સમાન.” વગેરે આ ગ્રંથમાં પૂર્વે કહી ગયા છીએ. પ્રત્યેનીક લોકેએ કરેલે ઉપદ્રવ દૂર કરવાના સંબંધમાં કહ્યું છે કે, “સાધુઓને,જિનમંદિરને, તથા વિશેષે કરી જિનશાસનને કોઈ વિરોધી હેય, અથવા કેઈથી અવર્ણવાદ બલાતે હોય, તે તેને સર્વ શક્તિથી વારે,” આ વિષય ઉપર ભગીરથ નામના સગર ચક્રવતીના પૌત્રને જીવ કુંભાર કે જેણે પ્રાંત ગામના રહીશ સાઠ હજાર લોકોએ કરેલા ઉપદ્રવથી પીડાયેલા યાત્રાએ જનાર સંઘને ઉપદ્રવ ટાળ્યો હતો તેને દાખલે જાણુ. (૩૧) - પુરૂષે પિતાને કાંઈ અપરાધ થએ છતે ધમાંચાર્ય શીખામણ દે ત્યારે “આ૫ કહે છે તે યોગ્ય છે” એમ કહી સર્વ કબુલ કરવું. કદાચ ધર્માચાર્યની કાંઈક ભૂલ જણાય તે તેમને એકાંતમાં “મહારાજ, આપ જેવા ચારિત્રવંતને આ શું ઉચિત છે કે?” એમ કહે. (૩૨). શિષ્ય સામું આવવું, ગુરૂ આવે ત્યારે ઉઠવું, આસન આપવું, પગચંપી કરવી. તથા શુદ્ધ એવા વસ્ત્ર, પાત્ર, આહાર આદિનું દાન વગેરે સમયને ઉચિત એ સર્વ વિનય સંબંધી ઉપચાર ભક્તિથી કરે. અને પિતાના હૃદયમાં ધર્માચાર્યને વિષે દઢ તથા ક૫ટ રહિત અનુરાગ ધારણ કરે. (૩૩). પુરૂષ પરદેશમાં હોય તે પણ ધર્માચાર્યો કરેલા સમ્યકત્વ દાન આદિ ઉપકારને નિરંતર સંભારે. ધર્માચાર્યના સંબંધમાં આ પ્રમાણે ઉચિત આચરણ જાણવું. (૩૪) ૮ શહેરી તરીકેનું ઉચિત આચરણ. - પુરૂષ જે નગરમાં પિતે રહેતું હોય, તેજ નગરમાં બીજા જે વણિફવૃત્તિએ આજી. વિકા કરનારા લોકે રહેતા હોય, તે “નાગર” એવા નામથી કહેવાય છે. (૩૫) નાગર લેકેના સંબંધમાં ઉચિત આચરણ આ રીતે જાણવું. પુરૂષે તેમને–નગરમાં રહેનારા લેકેને દુઃખ આવે પિતે દુઃખી થવું, તથા સુખ આવે પિતે સુખી થવું. તેમજ તેઓ સંકટમાં હોય તે પિતે પણ સંકટમાં પડ્યા હોય એમ વર્તવું. તથા તેઓ ઉત્સવમાં હોય તે પોતે પણ ઉત્સવમાં રહેવું. ઉપર મુજબ ન કરતાં એક નગરમાં રહેલા સરખા ધંધાના લોકે જે કુસંપમાં રહે તે રાજાના અધિકારીઓ તેમને, શીકારીઓ જેમ મૃગલાઓને જાળમાં ફસાવે છે, તેમ સંકટમાં ઉતારે છે. (૩૬). મહેતું કાર્ય હોય તો પણ પિતાની હેટાઈ વધારવા સારૂ સર્વે નાગરોએ રાજાને મળવા જૂદા જૂદા ન જવું. કાંઈ કામની છાની મસલત કરી હોય તે તે ઉઘાડી ન પાડવી. તથા કેઈએ કેઈની ચાડી ન કરવી. એકેક જણ જુદો જુદો રાજાને મળવા જાય તે તેથી બીજાના મનમાં વૈર વગેરે પેદા થાય છે. માટે સર્વેએ ભેગા થઈને જવું. તથા સર્વેની યોગ્યતા સરખી હોય તે
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy