SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ [ શ્રાદ્ધ વિધિ અને શિક્ષક એ ત્રણે પુત્ર પાસેથી તપાસી લે. તેથી તે સ્વછંદી થતો નથી. તથા પિતાની મહેટાઈ રહે છે. “પુત્રની તેને દેખતી પ્રશંસા ન કરે” એમ કહેવાનું કારણ એ છે કે, પહેલાં તે પુત્રની પ્રશંસાજ ન કરવી. કહ્યું છે કે–ગુરેની તેમના મુખ આગળ, મિત્રોની તથા બાંધવાની તેમની પછવાડે, દાસની તથા ચાકરની તેમનું કામ સારું નીવડે ત્યારે, તથા સ્ત્રીઓની તેઓ મરી ગયા પછી સ્તુતિ કરવી. પણ પુત્રની તે બિલકુલ સ્તુતિ કરવી જ નહીં.” એમ છતાં તે વગર ન ચાલે તે સ્તુતિ કરવી પણ પ્રત્યક્ષ ન કરવી. કારણ કે, તેથી તેના ગુણ આગળ વધતા અટકે છે, અને વૃથા અહંકાર વિગેરે આવે છે. (૨૨) પિતાએ પુત્રને રાજસભા દેખાડવી, તથા પરદેશના આચાર અને વ્યવહાર પણ પ્રકટપણે દેખાડવા. પિતાનું પુત્રના સંબંધમાં આ વગેરે ઉચિત આચરણ જાણવું. - રાજસભા દેખાડવાનું કારણ એ છે કે, રાજસભાને પરિચય ન હોય તે કઈ વખતે દુર્દવથી એચિંતું કાંઈ દુઃખ આવી પડે ત્યારે તે કાયર થ ય. તથા પારકી લક્ષ્મી જોઈ અદેખાઈ કરનારા શત્રુઓ તેને નુકશાનમાં નાખે. કેમકે-રાજદરબારે જવું. રાજાના માનીતા લોક જેવા, તેથી કાંઈ અર્થલાભ ન થાય તે પણ અનર્થને નાશ તે થાય જ છે.” માટે રાજસભાને અવશ્ય પરિચય કરાવ. પરદેશના આચાર તથા વ્યવહાર દેખાડવાનું કારણ એ છે કે પરદેશના આચાર વ્યવહારનું જ્ઞાન ન હોય અને કારણ પડે ત્યાં જવું પડે તે ત્યાંના લોકે એને પરદેશી જાણીને સહજ વારમાં વ્યસનના ખાડામાં નાંખી દે. માટે પરદેશના આચાર વ્યવહાર દેખાડવા. પિતાની પેઠે. માતાએ પણ પુત્રના સંબંધમાં તથા પુત્રની વહૂના સંબંધમાં સંભવ માફક ઉચિત આચરણ સાચવવું. માતાએ રમાઈ પુત્રના સંબંધમાં વિશેષ ઉચિત આચરણ સાચવવું, કારણ કે, તે પ્રાયે સહજમાં પિતાને કાંઈ ઓછું પડયું એમ માનનારે હોય છે. આ વિષયમાં સાવકી માએ આપેલી અડદની રાબડી એકનાર પુત્રને દાખલે જાણ. (૨૩) ૬ સ્વજન ઊંચતાચરણું પિતાના, માતાના તથા સ્ત્રીને પક્ષના લેકે સ્વજન કહેવાય છે. તેમના સંબંધમાં પુરૂષનું ઉચિત આચરણ આ રીતે છે. પિતાના ઘરમાં પુત્રજન્મ તથા વિવાહ સગાઇ આદિ મંગળકાર્ય હોય ત્યારે તેમને હમેશાં આદર સત્કાર કરે. તેમજ તેમને માથે કાંઈ નુકશાન આવી પડે તે તેમને પોતાની પાસે રાખવા (૨૪) સ્વજનેને સાથે કોઈ સંકટ આવે, અથવા તેમને ત્યાં કાંઈ ઉત્સવ હોય તે પોતે પણ હમેશાં ત્યાં જવું. તથા તેઓ નિધન અથવા ગાતુર થાય તે તેમને તે સંકટમાંથી ઉદ્ધાર કર. કેમકે-રોગ, આપદા, દુકાળ તથા શત્રનું સંકટ માથે આવે છતે તથા રાજ દ્વારે અને શમશાને જવાને અવસરે જે સાથે રહે તે બાંધવ કહેવાય. સ્વજનને ઉદ્ધાર કરે તે
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy